Gandhinagar : શિક્ષણ સચિવ મળ્યા TET-TATના ઉમેદવારોને! સારા સમાચાર આપવાની ખાતરી આપી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 09:43:37

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાનસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે. વિદ્યાર્થીઓ વધે છે પરંતુ શિક્ષકો ઘટે છે. 

વિરોધ કરી રહેલા ઉમેદવારોને મળ્યા શિક્ષણ સચીવ!

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો અનેક વખત પ્રયત્ન કર્યો. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે ગયા પરંતુ તેમની સાથે થયેલો વ્યવહાર આપણે જાણીએ છીએ. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષણ સચિવ વિનોદ રાવને મળ્યા હતા. ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે ફરી એક વખત ગાંધીનગરના દ્વારે રજૂઆત કરવા પહોંચ્યા હતા.આટલા સમયના આંદોલન અને વિરોધ બાદ શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉમેદવારોને મળ્યા હતા. 



ઉમેદવારોને શિક્ષણ સચિવ તરફથી મળ્યો પોઝિટિવ રિસ્પોન્સ 

ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ સચિવે અમને સારી રીતે સાંભળ્યા હતા અને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. અને સારા સમાચાર આપવાની સાંત્વના પણ આપી હતી. જે સારા સમાચારની ઉમેદવારો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર તેમને ટૂંક સમયમાં મળશે તેવું શિક્ષણ સચિવનું કહેવું છે. બાકી તો શિક્ષણ સચિવ ઉમેદવારોને મળ્યા એ મહત્વનું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.