Gandhinagar : શિક્ષણ સચિવ મળ્યા TET-TATના ઉમેદવારોને! સારા સમાચાર આપવાની ખાતરી આપી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-12 09:43:37

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાનસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે. વિદ્યાર્થીઓ વધે છે પરંતુ શિક્ષકો ઘટે છે. 

વિરોધ કરી રહેલા ઉમેદવારોને મળ્યા શિક્ષણ સચીવ!

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો અનેક વખત પ્રયત્ન કર્યો. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે ગયા પરંતુ તેમની સાથે થયેલો વ્યવહાર આપણે જાણીએ છીએ. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષણ સચિવ વિનોદ રાવને મળ્યા હતા. ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે ફરી એક વખત ગાંધીનગરના દ્વારે રજૂઆત કરવા પહોંચ્યા હતા.આટલા સમયના આંદોલન અને વિરોધ બાદ શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉમેદવારોને મળ્યા હતા. 



ઉમેદવારોને શિક્ષણ સચિવ તરફથી મળ્યો પોઝિટિવ રિસ્પોન્સ 

ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ સચિવે અમને સારી રીતે સાંભળ્યા હતા અને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. અને સારા સમાચાર આપવાની સાંત્વના પણ આપી હતી. જે સારા સમાચારની ઉમેદવારો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર તેમને ટૂંક સમયમાં મળશે તેવું શિક્ષણ સચિવનું કહેવું છે. બાકી તો શિક્ષણ સચિવ ઉમેદવારોને મળ્યા એ મહત્વનું છે.  



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.