તમારી સમસ્યાઓ માટે CMOમાં કરી શકશો ફરિયાદ, જાહેર કરાયો વ્હોટ્સએપ નંબર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:41:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બનેલી સરકાર લોક કલ્યાણના કાર્યોને લઈ એક્સનમાં આવી છે. લોકોની તેમની વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે તે માટે વ્હોટ્સ એપ નંબરની જાહેરાત કરી છે. 


શા માટે વ્હોટ્સ એપ નંબર?


રાજ્યના લોકોને સરકારી વિભાગોમાં તેમના કામ કરાવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોને તેમના ગામ અને શહેરમાં સ્થાનિક સ્તરે વિકાસના કામો, સરકારી યોજનાના લાભો મેળવવામાં ભારે મુસિબતો સહન કરવી પડે છે. રાજ્ય સરકારને પણ લોકોની આવી ફરિયાદો મળી હતી. લોકોની સમસ્યાઓના સમાધાન માટે રાજય સરકારે ખાસ વ્હોટ્સ એપ નંબર જાહેર કર્યો છે આ નંબરના માધ્યમથી લોકો તેમની ફરિયાદો સરકાર સુધી પહોંચાડી શકશે. સરકાર પણ આ નંબર મળેલી ફરિયાદોના નિવારણ માટે ખાસ પ્રસાસો કરશે. 


CMOએ જાહેર કર્યો નંબર


ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયે સામાન્ય લોકોના પ્રશ્નોના નિવારણના હેતુથી વ્હોટ્સએપ +917030930344 ની જાહેરાત કરી છે. લોકો આ +917030930344 વ્હોટ્સએપ નંબર પરથી તેમની ફરિયાદો નોંધાવી શકશે. મુખ્યમંત્રી  ઓફિસના અધિતારીઓ આ નંબર મારફતે મળેલી ફરિયાદો ના સત્વરે ઉકેલ માટે પ્રયત્ન કરશે. સમસ્યાના સમાધાન માટે સીએમઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન પણ સાધશે.



જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે