ગાંધીધામ: રૂ. 2 કરોડ ભરેલી કેશ વાન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા, શખ્સ વાન લઈ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-12 18:14:05

કચ્છની ઔદ્યોગિક રાજધાની ગાંધીધામ શહેર આર્થિક મોરચે હંમેશા આગળ રહે છે. બંદર સાથે જોડાયેલા આ સિટી-કોમ્પ્લેક્સમાં દરરોજ કરોડો રૂપિયાની હેરફેર થાય છે, પરંતુ શુક્રવારે સવારે બેન્કિંગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંકની પાસે બનેલી ઘટનાએ ભારે આશ્ચર્ય સર્જ્યું છે. ગાંધીધામ શહેરના બેંકિંગ સર્કલ પાસે આવેલી એક જાણીતી સરકારી બેંકમાંથી અંદાજે રૂ.2 કરોડ અચાનક ગુમ થઈ ગયા હતા.બેંકમાંથી કરોડોની રોકડ ભરેલ વાહન ગુમ હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, રસપ્રદ વાત એ છે કે બે કરોડની કિંમતની આ કાર એક ક્ષણ માટે ગાયબ થઈ ગઈ હતી અને થોડીવારમાં પછીથી મળી આવી હતી. બેંકના એક કર્મચારીએ જણાવ્યું કે આજે સવારે ચા પીવા માટે બેંકના ATMની બહાર કેશ વેન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ નીચે ઉતર્યા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ 2 કરોડ રૂપિયા ભરેલી કેશ વાન લઈને ભાગી ગયો હતો.


આરોપી વાન મુકીને ફરાર


કેશ વાન ગાયબ થવાના સમાચાર મળતાની સાથે જ પોલીસે તેનો પીછો કર્યો અને પકડાઈ જવાના ડરથી આરોપી કેશ વાનને રસ્તા વચ્ચે મૂકીને ભાગી ગયો હતો. પોલીસે એટીએમ કેશ વાન જપ્ત કરી લીધી છે અને તમામ પૈસા સુરક્ષિત છે. સ્થળ પર હાજર લોકોનું માનવું છે કે વાહન ગાયબ થવાની માહિતી મળતાં જ પોલીસે સતર્કતા દાખવી કેશ વાનનો પીછો કરીને ગણતરીની મિનિટોમાં જ કેશ વાન પરત મેળવી લીધી હતી. પરંતુ કેશ વાન લઈને ભાગી રહેલા આરોપી પોલીસને જોઈને વાહન છોડીને ભાગી ગયો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તેમજ કેશ વાનની ચોરી કરી નાસી છૂટેલા આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.