ઊડતાં ગુજરાત ! ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની રેલમછેલ. વડોદરા NSUIના કાર્યકરોએ રાજ્યની દારૂનીતિ સામે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ સાથે ચક્કાજામ કર્યો.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 18:30:47

અમદાવાદ હોય કે વડોદરા પૈસાદાર લોકોના નબીરાઓ સામાન્ય માણસને એવી રીતે કચડી રહ્યા છે કે જાણે તેઓ જીવન જીવવાના હક્કદાર જ નથી! કયાં સુધી લોકો મરતા રહશે? ગુજરાતમાં કેવી છે આ દારૂબંધી?જયાં સામાન્ય માણસ માટે પોલીસ કડકાઈથી કામ લે છે, ત્યાં નબીરાઓ સામે પોલીસ કેમ ઢીલી પડે છે? વડોદરા શહેરમાં થયેલા રક્ષિતકાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના NSUIના કાર્યકરોએ રાજ્યની કથડતી દારૂનીતિ અને ડ્રગ્સના ખુલ્લા વેચાણ સામે જાહેર રસ્તા પર આવીને પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો અને ગૃહમંત્રી રાજીનામું આપોનાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંઆ વિરોધ પ્રદર્શન સામે ફતેગંજ પોલીસે વિરોધ કરી રહેલા  10 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.




ગૃહમંત્રી વારંવાર મીડિયા સામે આવી કરોડના ડ્રગ્સના પેકેટ પકડાયની સફળતાનો શ્રેય લે છે ત્યારે લોકોને મનમાં પ્રશ્ન થાય છે કે પકડાયેલું ડ્રગ્સ પૂરે પૂરું જાહેર થાય છે કે કેમ? જે રીતે રાજ્યભરમાં HIT & RUNના કેસ વધી રહ્યા છે તે જોતાં ગૃહમંત્રીની પકડ ઢીલી પડતી હોય તેમ લાગી રહયું છે... NSUIના કાર્યકર દુષ્યન્ત રાજપુરોહિતએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે વ્યક્તિ કાર ચલાવતો હતો તે ડ્રગ્સના નશામાં હતો. ગુજરાતમાં ડ્રગ્સ એક્ટ છે, દારૂબંધી છે, તેમ છતાં ડ્રગ્સ અને દારૂનો વેપલો ચાલી રહ્યો છે.

 


વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારો ૨૩ વર્ષીય રક્ષિતે કરેલા અકસ્માત બાદ, વિધાર્થીઓએ રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટી માંથી હકાલપટ્ટી કરવાની માંગ કરી છે 

ફિલ્મ કલાકાર જહાનવી કપૂરે પણ આ ઘટના અંગે નિદા કરી છે. અકસ્માત બાદ ઓમ નમો શિવાય ના નારા લગાવી શું સહિત કરવા માંગતો હશે રક્ષિત? ધર્મના નામે શું બધુંજ ચાલે દેશમાં?

કેટલાય સવાલો ના જવાબ આપણે પણ આપવાના છે શું વ્યક્તિ ધર્મના નામે સમાજ કશું પણ ચલાવી લઈશું? શું આપણો ધર્મ આવા લોકોને રક્ષણ કરવા માટે છે? અકસ્માતમાં મારનાર લોકોના ભગવાન નથી કે એમનો ધર્મ નથી? 

 સમાજમાં આવા ગુન્હા કે ઘટનાઓ ને અટકાવી શકશે તેને માટે સૌએ મળીને કામ કરવું પડશે. બાળકોને જરૂર કરતાં વધુ નાણાં આપીને નવી પેઢીને વિનાશ તરફ ના ધકેલીએ એજ મોટી સમાજ  અને દેશ પ્રત્યે સેવા હશે. તમારા સંતાનોને સારા નાગરિક બનાવો. રખડતો ગુનેગાર કે નસેડી યુવા એ નવી મહાસત્તાની ખેવના કરતો આપણા દેશ માટે શું યોગદાન આપશે ..?  


 

 






રાજ્યમાં વારંવાર થતાં હિટ એન્ડ રનના કેસો ચિંતાનો વિષય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા અકસ્માત સર્જનાર નબીરાઓ સાધારણ માણસને માણસ સમજતા જ નથી. પૈસાના જોરે નશા ના રવાડે ચઢેલા નબીરાઓની લાપરવાહીમાં લોકો પોતના જીવ ગુમાવે છે. શું પોલીસ મુકપ્રક્ષક બની રહી છે?

હવે સરકારી દરેક શાળામાં વિધાર્થીઓ ધોરણ 8 ને બદલે 10 સુધી ભણી શકશે. આગામી સ્તરથી ઝોન 7 માં 7 માધ્યમિક શાળાઓમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે. AMCની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણના 1 લાખ ૭૦ હજાર વિદ્યાર્થીને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય લેવાયો..

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા . તેમને પાછા લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન જહાજ પહોંચી ચૂક્યું છે . આજે સવારે સાડા દસ વાગે તેમની ધરતી પર પરત ફરવાની યાત્રા શરુ થઇ ચુકી છે . ભારતીય સમય પ્રમાણે બુધવારના વહેલી સવારના સાડા ત્રણ વાગે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું ડ્રેગન અવકાશયાન ગલ્ફ ઓફ મેક્સિકોમાં લેન્ડ કરશે .

પાકિસ્તાનની જેલમાં કુલ ૧૨૩ ગુજરાતી માછીમારો કેદ છે . આ સ્ફોટક માહિતી ત્યારે બહાર આવી જયારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો . આ પછી રાજ્યસ્તરના વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી .