અંબાજી હદાડ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બસના થયા બે ટુકડા, 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 17:17:12

એક બાજુ લાખો લોકો માતાના દરબારમાં શીશ નમાવવા જય રહ્યા છે. ત્યારે આ અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.હાલ અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો જામ્યો છે. જેમાં લખો લોકો પહોંચી રહ્યા છે. ત્યારે આજે અંબાજી હદાડ માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઘણા લોકો ઇજા ગ્રસ્ત બન્યા છે. જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જેમાં આ અકસ્માતમાં ખાનગી બસ પલટી જતા બસના 2 ટુકડા થયા છે. આ ઘટનામાં 25 કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. આ અકસ્માતમાં બાળકો, મહિલાઓ અને પુરુષોને ઈજા પહોંચી છે. પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 અને પોલીસની ગાડી મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.