Anand નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 11:18:00

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ છાશવારે આપણી સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત આણંદમાં સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ થયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જે યુવકોના મોત આ અકસ્માતમાં થયા છે તે બોરસદના વતની છે. અકસ્માતને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ આરંભી હતી.


હિટ એન્ડ રન કાયદાને લઈ ડ્રાઈવરોએ કર્યો હતો વિરોધ  

પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ વધી રહી રહ્યા છે. અનેક પરિવારોએ અકસ્માતને પગલે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતના કેસમાં અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ જાય છે, સામેના વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ડ્રાઈવરો ફરાર થઈ જતા હોય છે. હિટ એન્ડ રનને લઈ કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી જેમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા સુધીના ડંડની જોગવાઈ કરવામાં આવી. પરંતુ ટ્રક ડ્રાઈવરો, ડમ્પર ડ્રાઈવરોએ આનો સખ્ત વિરોધ કર્યો જેને કારણે કેન્દ્ર સરકારે નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કર્યો છે. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ આંદોલન સમેટી લીધું હતું પરંતુ તે બાદ અકસ્માતના અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં મુખ્યત્વે ટ્રકોના છે. 


આણંદ નજીક સર્જાયો અકસ્માત જેમાં થયા ત્રણ લોકોના મોત

થોડા દિવસો પહેલા થરાદ-ડીસા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખોરડા ગામ નજીક ડમ્પરની અડફેટે ગાડી આવી ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પુત્રો તેમજ પતિ-પત્નીનો સમાવેશ થયો હતો. તેની પહેલા સાપુતારા નજીક અકસ્માત સર્જાયો હતો. ત્યારે ફરી એક વખત આણંદ નજીક એક્સિડન્ટ સર્જાયો છે જેમાં ચાર યુવાનોના મોત થઈ ગયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી જેને કારણે આ અકસ્માતની ઘટના બની. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.