Rajkotમાં થયો ગમખ્વાર અકસ્માત, રામાપીર મંદિર પાસે બાઈક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર, ઘટના સ્થળ પર નિપજ્યું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 14:20:06

અકસ્માત...  આ શબ્દ સાનમાન્ય બની ગયો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડમાં આવતું વાહન વગેરે વગેરે... અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે એક અકસ્માત રાજકોટમાં બન્યો છે જેમાં પિતા અને તેમના પુત્રનું મોત ઘટનાસ્થળ પર નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે પિતા પુત્રનું મોત થયું છે તેમનું નામ અજય પરમાર અને શૈલેષ પરમાર છે. 

 

ઘટના સ્થળ પર નિપજ્યું મોત!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માત એટલા ભયંકર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટમાં સર્જાયો છે. ટેન્કર અને બાઈક વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળ પર પિતા અને પુત્રનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ટેન્કરના ટાયર નીચે માથુ આવી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


ખરાબ રસ્તાને કારણે ગયું ગાડીનું બેલેન્સ અને...  

આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ પ્રમાણે ખરાબ રસ્તાને કારણે બાઈકનું બેલેન્સ બગડ્યું. વાહનનું બેલેન્સ બગડતા વાહન સ્લીપ થયું અને પાછળથી ટેન્કર આવી ગયું અને તેમના માથા પર ફરી વળ્યું. અને અકસ્માત સર્જાયો છે. આ ઘટના સવારે 8.30 વાગ્યાની આસપાસ બની હતી તેવી માહિતી સામે આવી છે. પિતા અને પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ખરાબ રસ્તાને કારણે બાઈક ચાલકે બેલેન્સ ગુમાવ્યું. બંને નીચે પટકાયા અને માથું ટેન્કરના પાછળના ટાયરમાં આવી ગયું અને દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અકસ્માતોની સંખ્યામાં થયો છે ધરખમ વધારો 

ઉલ્લેખનિય છે કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ઘરેથી નીકળેલો માણસ પાછો આવશે કે નહીં તેની ખબર પણ નથી રહેતી. અકસ્માતોની સંખ્યા એ હદ સુધી વધી ગઈ છે કે જ્યાં સુધી માણસ ઘરે પાછો નથી આવતો ત્યાં સુધી ટેન્શન રહ્યા કરે છે. ખરાબ રસ્તો તો એક મોટો પ્રશ્ન બની ગયો છે. અનેક વખત અકસ્માત બિસ્માર રસ્તાને કારણે સર્જાય છે અને લોકો મોતને ભેટે છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!