લખીમપુર ખેરીમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 09:44:07

લખીમપુર ખેરી જિલ્લામાં પીલીભીત બસ્તી હાઈવે પર શારદા પુલ પાસે બસ અને ટ્રક સામસામે અથડાયા. આ દુઃખદ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. છ લોકોના મોત પણ થયા છે.


ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અનેક મહિલાઓ સહિત છ મુસાફરોના મોત થયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ લખીમપુર ખેરી જિલ્લાના પીલીભીત બસ્તી હાઈવે પર શારદા પુલ પાસે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુઃખદ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. છ લોકોના મોત પણ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાય રહ્યું છે.


પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે જ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે