ગદર-2 ફિલ્મ પહેલા સિનેમા ઘરોમાં રિલીઝ થશે 'ગદર'! સની દેઓલે સોશિયલ મીડિયા પર શેર કરી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-05-27 17:35:43

ગદર 2 ફિલ્મ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સની દેઓલ અને અમીષા પટેલની જોડીએ ગદર ફિલ્મમાં ધૂમ મચાવી હતી. વર્ષ 2001માં ગદર: એક પ્રેમ કથા ફિલ્મ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે ગદર-2 ફિલ્મની રિલીઝ પહેલા ગદર ફિલ્મ 22 વર્ષ પછી ફરી એક વખત રિલીઝ થવાની છે. ઝી સ્ટુડિયો પહેલા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

  

આ તારીખે રિલીઝ થવાની છે ગદર-2 ફિલ્મ!

11 ઓગષ્ટ 2023ના રોજ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-2 રિલીઝ થવાની છે. ગદર ફિલ્મને લઈ સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ ગદર : એક પ્રેમ કથાનું પોસ્ટર શેર કર્યું છે. ફોટો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું  કે 'વો હી પ્યાર, વો હી કહાની, પર ઈસ બાર અલગ એહસાસ!' ગદર: એક પ્રેમ કથા ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 9 જૂનના રોજ 4K અને ડોલ્બી એટમોસ સાઉન્ડની સાથે ફિલ્મ રિલીઝ થશે. તે પણ લિમિટેડ પીરિયડ માટે. 



ફિલ્મમાં જોવા મળશે આ કલાકારો!  

સોશિયલ મીડિયા પર સની દેઓલે ગદરનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં ફિલ્મના અમુક સીન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલર પર દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગદરને મળેલા સારા રિસ્પોન્સને જોતા ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા ગદરની સિક્વલ લાવી રહ્યા છે. ગદર-2માં પણ તારા સિંહની ભૂમિકા સની દેઓલ ભજવી રહ્યા છે જ્યારે સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે. ગદરનું ટ્રેલર જોઈ લોકો પાગલ થઈ રહ્યા છે..             



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે