કઈ પાર્ટીમાંથી લોકસભા ચૂંટણી લડશે Chaitar Vasava? સાંભળો Devanshi Joshiને શું જવાબ આપ્યો ચૈતર વસાવાએ Debate Showમાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-21 17:08:56

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ હોય, કોંગ્રસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ કમરકસી લીધી છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે. આપે આ અંગેની જાણકારી આપી હતી પરંતુ કોંગ્રેસે આ વાતનો ઈન્કાર કર્યો હતો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ભરૂચ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. 

દેવાંશી જોષીએ ચૈતર વસાવાને પૂછ્યો સીધો સવાલ 

આમ આદમી પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાની પસંદગી કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થતા જ એવી વાતો થવા લાગી હતી કે ભાજપમાં ચૈતર વસાવા જોડાઈ શકે છે. ભાજપમાં તે જોડાઈ શકે છે. આવી વાતો વહેવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે દેવાંશી જોષીએ આ મામલે ચૈતર વસાવાએ સીધો સવાલ કર્યો હતો. દેવાંશી જોષીએ પૂછ્યું હતું કે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેનો જવાબ તેમણે આપ્યો હતો.



ભાજપમાં 156 લોકો છે એ લોકો પણ એક બીજાને નથી ઓળખતા! 

ડિબેટ શોમાં જ્યારે દેવાંશી જોષીએ ચૈતર વસાવાને આ સવાલ પૂછ્યો હતો ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે ઘણા લોકો એવું પણ માને છે કે જે પાર્ટી સત્તામાં હોય પછી જ કામ થાય તો ચૈતરભાઈ પણ એમાં જાય અને ભાજપમાં જઈ કામ કરશે તો કામ વધારે થશે. પણ આવું કંઈ જ નથી. ભાજપના ખુદના 156 લોકોને એકબીજા ઓળખતા નથી. અંદર અંદર પરિચય આપવો પડે છે. જ્યારે આજે અમારી આજુ બાજુ ભાજપના ધારાસભ્ય છે, નસવાડીમાં ભાજપના ધારાસભ્ય છે, ઝઘડિયામાં પણ ભાજપના ધારાસભ્ય છે, એના કરતા પણ લોકો અમારા કામોને વખાણે છે. ત્યારે ભાજપમાં જવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. અને અહીં ગુજરાતમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં શાસન છે ખુદ મનસુખ વસાવા પણ ખુદ ઘણા સમયથી છે, પછી પણ તેમને મૂંઝવણ છે કે અમારૂં કહેલું પણ કામ થતું નથી. ત્યારે અમારો ભાજપમાં જવાનો સવાલ ઉપસ્થિત થતો નથી.        



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.