આજથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે ઈસુદાન ગઢવી


  • Published By :
  • Published Date : 2023-01-16 09:34:36

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઈસુદાન ગઢવી આજે શપથ લેવાના છે. 


ઈસુદાન ગઢવી બનશે નવા પ્રદેશ અધ્યક્ષ 

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ સંગઠનમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવી મહારાષ્ટ્રના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. ઉપરાંત નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી ઈસુદાન ગઢવીને સોંપવામાં આવી છે. 


સંગઠનમાં કરાયા છે અનેક ફેરફાર 

4 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ તરીકેની ભૂમિકા ગોપાલ ઈટાલિયા સંભાળતા પરંતુ હવેથી આ જવાબદારી ઈસુદાન ગઢવીને સંભાળવી પડશે. ઉપરાંત ઝોન પ્રમાણે પણ પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરી તેમને જવાબદારી સોંપી છે. નવરંગપૂરામાં આવેલી કાર્યાલયની ઓફિસ ખાતે ઈસુદાન ગઢવી શપથ લેવાના છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.