નવેમ્બર મહિનાથી ગુજરાતમાં થશે ગુલાબી ઠંડીનો ચમકારો


  • Published By :
  • Published Date : 2022-10-29 16:56:29

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે કોઈ વખત બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે તો રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે અનુમાન લગાડ્યું છે કે આગામી 5 દિવસો સુધી આ તાપમાન યથાવત રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે શિયાળીની શરૂઆત નવેમ્બરના પ્રથમ સપ્તાહથી થઈ શકે છે. 

Cold wave Archives - Vibes Of India

નવેમ્બર મહિનામાં આવશે તાપમાનમાં ઘટાડો  

હવામાન વિભાગના અનુમાન અનુસાર નવેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાનું છે. જેને કારણે 4-5 નવેમ્બરથી ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હાલ રાજ્યમાં તાપમાન 32-37 ડિગ્રી વચ્ચે રહે પરંતુ ડિસ્ટર્બન્સ થવાને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. તાપમાન ઘટી 30 ડિગ્રી નજીક પહોંચી શકે છે. નવેમ્બરની શરૂઆત થતાં જ ગુજરાતમાં રેગ્યુલર ઠંડીની શરૂઆત થઈ જશે. આ વખતે 10 દિવસ પહેલા ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે. 

IMD forecast for cold wave in parts of Gujarat during 24-27 January |  DeshGujarat

ગુજરાતમાં આવશે ઠંડીની લહેર

શિયાળાના સમય દરમિયાન તાપમાન ઘટતા ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થતી હોય છે. તાપમાન ઘટે છે. હિમવર્ષાની સીધી અસર ગુજરાત પર પડે છે. ઉત્તર ભારતના ઠંડા પવન ગુજરાત તરફ આવતા ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. આ વખતે 10 દિવસ પહેલા શિયાળાની શરૂઆત થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે. 



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .