હવેથી NCERT પુસ્તકોમાં ઈન્ડિયા નહીં પરંતુ ભારત લખાશે, નામ બદલવાના પ્રસ્તાવને પેનલે આપી મંજૂરી, ફરી રાજકારણ ગરમાશે?


  • Published By :
  • Published Date : 2023-10-25 15:49:46

NCERT પુસ્તકોમાં હવે ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવશે તેવો નિર્ણય એનસીઈઆરટી પેનલ દ્વારા લેવામાં આવ્યો છે.રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદની પેનલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનસીઆરટીસીની પુસ્તકોમાં ટૂંક સમયમાં એક બદલાવ જોવા મળવાનો છે. હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ‘ભારત’ શબ્દ જ ભણાવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં India નું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી દીધી છે.

NCERTની પુસ્તકોમાં હવે ઈન્ડિયા નહીં ભારત લખાશે

થોડા સમય પહેલા એવી રજૂઆત કરવામાં આવી હતી ઈન્ડિયાની જગ્યાએ પુસ્તકોમાં ભારત લખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ભારતને બદલે 'ભારત' શબ્દ શીખવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી છે. પેનલના સભ્યોમાંના એક સીઆઈ ઈસાકના જણાવ્યા અનુસાર, પેનલના તમામ સભ્યોએ 'ઈન્ડિયા'ને બદલીને 'ભારત' કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ દરખાસ્ત થોડા મહિનાઓ પહેલા મુકવામાં આવી હતી અને હવે જ્યારે દરખાસ્ત સ્વીકારવામાં આવી છે, ત્યારે નવા NCERT પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ 'ભારત' છાપવામાં આવશે.

અનેક વખત ઈન્ડિયાની બદલીમાં લખાયું છે ભારત!

ભારત અને ઈન્ડિયા નામને લઈ જંગ છેડાઈ ગયો છે. જી-20 સમિટ વખતે ડિનર માટે મહેમાનોને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની બદલીમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખાતા રાજકારણ ગરમાયું હતું. તે બાદ જ્યારે પીએમ મોદી વિદેશના પ્રવાસે ગયા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમપ્લેટ પર પણ ભારત લખવામાં આવ્યું હતું. આ વાતોને લઈ રાજકારણ ગરમાયું હતું. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ ચર્ચાએ જોર  પકડ્યું હતું. ત્યારે હવે એનસીઆરટીસી પુસ્તકોમાં પણ ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવશે. ઈન્ડિયાની બદલીમાં ભારત પુસ્તકોમાં લખવામાં આવે તે માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તેનો સ્વીકાર પેનલ દ્વારા કરાયો છે. 

Bharat' on display as PM Modi addresses G20 Summit in Delhi - India Today

President of Bharat' on G20 invite triggers row; govt. sources dismiss talk  of name change in upcoming Parl. session as 'rubbish' - The Hindu



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.