બંગલામાં લાગી આગ ને પછી દિલ્હી હાઇકોર્ટના જજના ઘરેથી મળ્યો રૂપિયાનો ઢગલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 22:30:19

કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કેમ જાય છે તો તે ન્યાય માંગવા જાય છે , આ ન્યાય કરે છે કોણ તો તે જજ કરે છે . સામાન્ય નાગરિકોને તેમની પાસેથી ન્યાયની આશા હોય છે . પણ જયારે ખબર પડે કે જજ પર જ ભ્રષ્ટાચારના આરોપ લાગે તો કેહવું જ શું. આવું જ દિલ્હી હાઈકોર્ટેના જજ યશવંત શર્મા સાથે થયું છે . જયારે તેમના ઘરમાં આગ લાગી ત્યારે તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં કેશ મળી આવી  . તો આવો જાણીએ આખો મામલો છે શું? ૧૪મી માર્ચ હોળીની એ રાતે, લગભગ ૧૧:૩૦ વાગ્યે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના સરકારી બંગલે આગ લાગી . તે સમયે જસ્ટિસ વર્મા શહેરમાં હાજર નહોતા . ઘરે ખાલી તેમના માતા અને દીકરી જ હતા . પરિવારે ફાયર બ્રિગેડ અને પોલીસમાં ફોન કર્યો . પણ જયારે ફાયરબ્રિગેડ આગ બુઝાવવા ઘરમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે માત્રામાં  કેશ મળી . આ ખબર સાંભળી સુપ્રીમકોર્ટનું કોલેજિયમ હરકતમાં આવી ગયું અને તેમની મૂળ હાઇકોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કરી દીધું . આ ટ્રાન્સફર કરવા માટેની કોલેજિયમે કેન્દ્ર સરકારને ભલામણ પણ કરી દીધી છે. જોકે કોલેજીયમના કેટલાક સદસ્યોનું માનવું છે કે , આવી ગંભીર ઘટના માટે માત્ર ટ્રાન્સફર યોગ્ય નથી . તેમની પર મહાભિયોગ ચાલવો જોઈએ . જોકે આ બાબતે , સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને આ સમગ્ર મામલે રિપોર્ટ આપવાનો  આદેશ આપી દીધો છે. 

Delhi HC judge with cash stash at home heaped praise on UPI

હવે તમને દિલ્હી હાઇકોર્ટના આ જસ્ટિસ યશવંત વર્માનો પરિચય આપી દઈએ. તેમનો જન્મ ૧૯૬૯માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો . તેમણે પોતાનું બીકોમ દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી પૂરું કર્યું છે . આ પછી ૧૯૯૨માં તેઓ એડવોકેટ બન્યા . આ બાદ ૨૦૧૪ની સાલમાં પ્રથમ વખત અલ્હાબાદ હાઈકૉર્ટમાં એડિશનલ જજ બન્યા . આખરે જસ્ટિસ યશવંત વર્માની ૨૦૨૧માં દિલ્હી હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. હાલમાં તેઓ આ દિલ્હી હાઈકૉર્ટમાં સિનિયોરિટીના ક્રમમાં બીજા નંબરે છે. ભૂતકાળમાં દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા ત્યારે લાઇમલાઇટમાં આવ્યા હતા જયારે તેમણે ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટને કોંગ્રેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો . તેમણે નેટફ્લિક્સની સિરીઝ "ટ્રાયલ બાય ફાયર" ની રિલીઝનો આદેશ આપ્યો હતો .



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.