શૈક્ષણિક વર્ષ 2023-24માં સ્નાતક ડિગ્રી મેળવવા કરવો પડશે ચાર વર્ષોનો અભ્યાસ


  • Published By :
  • Published Date : 2023-01-08 16:22:30

ગઈકાલે એટલે કે શનિવારે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં અનેક ચર્ચાઓ તેમજ અનેક મહત્વના નિર્ણયો લેવાય હતા. તેમાં સૌ મોટો નિર્ણય હતો કે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓએ 3 વર્ષ નહીં પરંતુ ચાર વર્ષનો અભ્યાસ કરવો પડશે.  

Gujarat University : SEM-1 ની ઓફલાઈન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે  યુનિવર્સિટીએ કરી સ્પષ્ટતાઓ | TV9 Gujarati


સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય 

છેલ્લા ઘણા સમયથી એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા-નવા નિર્ણય લેવાઈ રહ્યા છે ત્યારે વધુ એક મોટો નિર્ણય ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્નાતક ડિગ્રી મેળવવા વધુ એક વર્ષ અભ્યાસ કરવો પડશે. એટલે જે ડિગ્રી 3 વર્ષમાં મળતી હતી તે હવે ચાર વર્ષ બાદ મળશે. 7 જાન્યુઆરીએ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. 


શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરાશે 

આ નવો નિર્ણય શૈક્ષણિક વર્ષ 2023-24 લાગુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24થી બીકોમ, બીએસસી, બીએ જેવા કોર્સમાં 4 વર્ષનો અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્સનો અમલ ઓનલાઈન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામમાં નવો નિયમ લાગુ થશે.યુનિવર્સિટીના આ નિર્ણયને કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એક વર્ષનો થઈ જશે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના જે પાંચ વર્ષ હતા તે અત્યારે પણ એ જ પ્રમાણે રહેશે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.