મહારાષ્ટ્રના પુણે-સોલાપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-01 15:57:29

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અનેક વખત અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે બુધવાર સવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે-સોલાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં પુર ઝડપથી આવી રહેલી બસ રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

maharashtra 4 dead bus truck collide on pune solapur highway 15 injured Maharashtra: पुणे-सोलापुर हाईवे पर खड़े ट्रक में जा भिड़ी लग्जरी बस, 4 की मौत, 15 घायल

રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે ભટકાઈ બસ 

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે સોલાપુર હાઈવે પર ઝડપથી આવી રહેલી બસ ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ એક તરફથી નષ્ટ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એમ્બ્યુલન્સ થકી ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.