થરાદ-ડીસા હાઇવે પર ડમ્પરે કારને ટક્કર મારતા એક જ પરિવારના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત


  • Published By :
  • Published Date : 2024-01-05 19:46:29

રાજ્યમાં આજે ફરી એક ભીષણ અકસ્માત થતા 4 લોકોના મોત નિપજ્યા છે, ગઈ કાલે ડાંગના સાપુતારા બાદ આજે બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખોરડા ગામ નજીક ડમ્પરે કારને ટક્કર મારતા એક જ પરિવારના ચાર લોકો મોતને ભેટ્યા હતા. મૃતકોમાં બે પુત્રો અને પતિ-પત્નીનો સમાવેશ થાય છે. આ પરિવાર બનાસકાંઠાના વાવનો હોવાનું જાણવા મળ્યું છે, પરિવારના સભ્યો ઉઝાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.  એક જ પરિવારના ચાર લોકોના  કમકમાટી ભર્યા મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. 




મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા


થરાદ-ડીસા હાઇવે પર ખોરડા ગામ નજીક  આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ઘડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ ઘટના એટલી ભયંકર હતી કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.


ગઈ કાલે સાપુતારા ઘાટ નજીક થયો હતો અકસ્માત


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. લાકડા ભરેલી ટ્રક ત્યાથી પસાર થઈ રહેલી કાર પર પલટી મારી જતા ચાર લોકોના મોત થયા હતા. જેમાં એક પુરુષ, બે મહિલા તેમજ ત્રણ વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.