પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકોએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી કરી તોડફોડ, પોલીસે પ્રદર્શનકારી વિરૂદ્ધ કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-09 11:20:08

બ્રાઝિલથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. બ્રાઝિલમાં હિંસા ફાટી નીકળી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ સંસદમાં તોડફોડ કરી હતી. રવિવારે રાજધાની બ્રાસીલિયામાં પોલીસ બેરિકેટ તોડીને રાષ્ટ્રપતિ ભવન તેમજ સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યો હતો. આ વિરોધ રાષ્ટ્રપતિ લુઈજ ઈનાસિયો લૂલા ડી સિલ્વાએ શપથ લીધી તે બાદ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન કરનાર 400 જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

 jagran

jagran

પ્રદર્શનકારીઓએ સંસદ પર કર્યો હુમલો 

ઓક્ટોબર મહિનામાં બ્રાઝિલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં બોલ્સોનારોનો પરાજ્ય થયો હતો. લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાની જીત થઈ હતી. જીત થવાને કારણે રાષ્ટ્રપતિના તેમણે શપથ લીધા. નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા તે બાદ હિંસા ફાટી નિકળી હતી. 1 જાન્યુઆરીએ તેમણે શપથ લીધા હતા. જે બાદ બોલ્સોનારોના સમર્થકોએ પોલીસ બેરિકેટ તોડી સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવો કર્યો હતો.

jagran

jagran

jagran

jagran

અમેરિકામાં પણ બની હતી આવી જ ઘટના 

પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓએ અનેક સરકારી ઈમારતોને નુકસાન પહોચાડ્યું છે. પોલીસે પ્રદર્શનકારીઓને બહાર કાઢી મૂક્યા હતા. આવી જ હિંસા 2 વર્ષ પહેલા અમેરિકામાં થઈ હતી. 6 જાન્યુઆરી 2021ના રોજ આવી હિંસા ફાટી નિકળી હતી જેમાં રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા. તેમના સમર્થકોએ કેપિટલ હિલ, એટલે કે સંસદમાં ઘૂસી હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ તોડફોડ પણ કરી હતી.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે