મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણે કર્યા કૈસરિયા, પૂર્વ MLC અમર રાજુરકર પણ BJPમાં સામેલ


  • Published By :
  • Published Date : 2024-02-13 14:50:44

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાયા છે. અશોક ચવ્હાણ અને અમર રાજુરકરે પણ ભાજપનું સભ્યપદ લીધું છે. મંગળવારે બપોરે 12.30 વાગ્યે અશોક ચવ્હાણે ઔપચારિક રીતે ભાજપના મુંબઈ કાર્યાલયમાં ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ સમય દરમિયાન મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ કર્યા હતા.


અશોક ચવ્હાણને રાજ્યસભામાં તક મળશે?


ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં તક આપે તેવી શક્યતા છે. વાસ્તવમાં, રાજ્યસભાની ચૂંટણી માટે અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. આથી આ એન્ટ્રી કોઈ મોટા નેતાની હાજરીને બદલે મહારાષ્ટ્રના ભાજપના નેતાઓની હાજરીમાં થઈ હતી. જો રાજકીય સૂત્રોનું માનીએ તો અશોક ચવ્હાણ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ કરવા માંગતા હતા. જો કે અશોક ચવ્હાણ આજે પાર્ટીમાં જોડાઈ ગયા છે.


નાંદેડમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગશે?


નાંદેડ જિલ્લામાં અશોક ચવ્હાણ એટલે કે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે કે અશોક ચવ્હાણનું સમીકરણ હતું. જો કે હવે શક્ય છે કે  અશોક ચવ્હાણના ભાજપમાં જોડાવાથી નાંદેડ જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વને અસર થાય.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.