પૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન, કેવું રહ્યું તેમનું ક્રિકેટ કેરિયર? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-23 18:59:36

ભારતના પૂર્વ કેપ્ટન અને સ્પિનની દુનિયાના જાદુગર તરીકે જાણીતા બિશન સિંહ બેદીનું આજે અચાનક નિધન થયું છે, તેઓ 77 વર્ષના હતા. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. બિશન સિંહ બેદીના અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. દેશની અગ્રણી સેલિબ્રિટીથી લઈને ક્રિકેટરો સુધી દરેકે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપી હતી.


 

દેશના ચાર મહાન સ્પિનરો પૈકીના એક


મહાન સ્પિનર બિશન સિંહ બેદીએ 1967 થી 1979 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધી. તેણે 10 વન-ડેમાં 7 વિકેટ પણ લીધી હતી. તેમણે એક ઇનિંગ્સમાં 14 વખત પાંચ વિકેટ અને મેચમાં એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તે ભારતીય ક્રિકેટના સ્પિનરોની સ્વર્ણિમ ચોકડીનો ભાગ હતો જેમાં પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવનનો સમાવેશ થતો હતો.

બિશન સિંહ બેદીએ ભારતની પ્રથમ વનડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.અમૃતસરમાં જન્મેલા સ્પિનર ​​બેદીએ સ્થાનિક સર્કિટ પર દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 1966 અને 1978 વચ્ચે એક દાયકાથી વધુ સમય સુધી ભારતના બોલિંગ યુનિટનો મુખ્ય ભાગ હતા. 1990માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બેદી થોડા સમય માટે ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર હતા. રાષ્ટ્રીય પસંદગીકાર હોવા ઉપરાંત, તેઓ મનિન્દર સિંહ અને મુરલી કાર્તિક જેવા ઘણા પ્રતિભાશાળી સ્પિનરોના ગુરૂ પણ હતા. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 370 મેચમાં 1,560 વિકેટ લીધી હતી.


કેવું રહ્યું બેદીનું ક્રિકેટ કેરિયર?


બિશન સિંહ બેદીએ 31 ડિસેમ્બર 1966ના રોજ કોલકાતાના ઐતિહાસિક સ્ટેડિયમ ઈડન ગાર્ડન્સ ખાતે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાંરે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1979માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે તેમની છેલ્લી ટેસ્ટ રમી હતી. બીજી તરફ, પ્રથમ વન ડે ઈંગ્લેન્ડ સામે 13 જુલાઈ 1974ના રોજ લોર્ડ્સમાં રમાઈ હતી, જ્યારે છેલ્લી વન ડે શ્રીલંકા સામે 16 જૂન 1979ના રોજ માન્ચેસ્ટર ખાતે રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી એક્ટર છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જ્યારે તેની પત્ની નેહા ધૂપિયા ભારતની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.