પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ આવ્યા મેદાને, સિદ્ધપુર મેડિકલ કોલેજની બિસ્માર હાલત મામલે હાઈકોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2023-06-02 17:02:30

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના પૂર્વ નેતા જય નારાયણ વ્યાસે રાજ્યની ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે. તેમણે સિદ્ધપુર મેડિકલ કોલેજની દયનિય સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જાહેર હિતના સ્વરૂપમાં કરાયેલી આ અરજીમાં ફરિયાદ કરવામાં આવી છે કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નથી. દર્દીઓની હાલાકી દુર થાય તે માટે ગુજરાત હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશ આપે તેવી પણ અરજીમાં માગ કરવામાં આવી છે. જય નારાયણ વ્યાસની આ અરજીના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.


હોસ્પિટલ બિસ્માર હાલતમાં 


 જય નારાયણ વ્યાસે તેમની અરજીમાં સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કફોળી સ્થિતી અંગે ફરીયાદ કરી છે. તેમણે અરજીના માધ્યમથી જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજના મશીનો અમદાવાદ ખસેડીને લાવવામાં આવ્યા છે. સિદ્ધપુર મેડિકલ કોલેજના કરોડોના ખર્ચે બનેલા મકાનો હાલ ખંડેર હાલતમાં છે. સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાછળ કરોડોનો ખર્ચ પણ દર્દીઓની હાલાકી વધી છે. દર્દીઓએ સારવાર માટે છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. તે જ પ્રકારે સિદ્ધપુર આયર્વેદિક હોસ્પિટલ પણ બિસ્માર હાલતમાં છે.


સિદ્ધપુર પ્રત્યે ઓરમાયું વર્તન


પૂર્વ આરોગ્યમંત્રી જય નારાયણ વ્યાસે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આ સ્થિતી માટે રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રીઓને જવાબદાર ઠરાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સિદ્ધપુરમાં મેડિકલ કોલેજનો વિકાસ ન થાય તે માટે રાખ્યો પૂર્વ આરોગ્યમંત્રીઓએ પૂર્વગ્રહ રાખ્યો હતો. તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલ અને પૂર્વ આરોગ્યમંત્રી નિતીનભાઈ પટેલ પર સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવાના પણ  આરોપો લગાવ્યા હતા. જય નારાયણ વ્યાસે દાવો કર્યો કે 10 વર્ષ સુધી રજુઆતો કર્યા પછી પણ સિદ્ધપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થિતી ન સુધરી એટલે પરાણે જાહેર હિતની અરજી કરવી પડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિકાસમાં માટે ખર્ચાયેલા પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા પણ વેડફાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.