મહેસાણા ભાજપમાં બબાલો, આરોગ્ય મંત્રી સામે ચૂંટણી લડશે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ


  • Published By :
  • Published Date : 2022-11-12 14:46:08

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપે વિવિધ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કેટલાય કદાવર નેતાઓની ટિકિટો કપાઈ છે અંદરખાને આ નેતાઓ નારાજ પણ છે. આ વચ્ચે મહેસાણા જિલ્લાના વિસનગરમાં રાજકારણનો માહોલ જામ્યો છે અહી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ રીતે ઊભા રહીને ચુંટણી લડવાના છે. અને વિપુલ ચૌધરી પણ વિસનગથી આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડશે તેવી રાજકીય અટકળો સામે આવી છે.

આમ તો વિસનગર પાટીદારોનો ગઢ કહેવાય છે મોટાભાગે અહીથી પાટીદાર ઉમેદવારની જીત થતી આવી છે. જો પૂર્વ જિલ્લા પ્રમુખ અપક્ષમાંથી ચુંટણી લડશે તો ભાજપ માટે અને ઋષિકેશ પટેલ માટે માથાનો દુખાવો બની શકે છે. આ વખતે વિસનગર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે

 

કોણ છે જશું પટેલ ?

જશું પટેલ 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ છે તેઓ 1979થી રાજકારણમાં આવેલા છે તેઓ વિસનગર તાલુકા ભાજપના અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે સાથે ઘણી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે

 

ઉલ્લેખનીય છે કે જશું પટેલે આ વખતે વિસનગરથી દાવેદારી નોંધાવી હતી પણ ચાલુ ધારાસભ્ય અને સરકારના મંત્રીને ફરી ઉમેદવાર તરીકે રિપીટ કરાતા જશું ભાઈની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જો સૂત્રોનું માનીએ તો જશું પટેલની ઈચ્છા હતી કે ઋષિકેશ પટેલ ઊંઝાથી ચુંટણી લડે અને ઋષિકેશ પટેલ પણ ઊંઝાથી જ ચુંટણી લડવા માંગતા હતા અને ઊંઝાથી દાવેદારી નોંધાવી હતી પણ હાઇકમાંડે ઋષિકેશ પટેલને વિસનગરથી ટિકિટ આપી છે..

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.