Rahul Gandhiના ઘોડાવાળા નિવેદન પર Gujaratના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કટાક્ષ, કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-07-15 17:21:55

ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં છે.. તે તેમની બોલીની આગવી સ્ટાઈલને કારણે તેમની વાતો, તેમની ચર્ચા થતી રહે છે.. નીતિન પટેલની ચર્ચા હમણાં એટલા માટે થઈ રહી છે કારણ કે તેમણે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીના બે ઘોડા વાળી વાત પર નીતિન પટેલે મહેસાણામાં આયોજીત એક કાર્યક્રમમાં કટાક્ષ કર્યો છે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર તે વીડિયો સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓના આભાર માનવા માટે જે સમારંભનું આયોજન કરવામાં આવ્યું તે વખતનો છે.  

નીતિન પટેલે કટાક્ષ કરતા કહ્યું કે.. 

નીતિન પટેલ અવારનવાર પોતાની બોલવાની આગવી શૈલીને લઈને સમાચારોમાં રહેતા હોય છે . હવે તેમણે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના આભાર વિધિ સમારોહમાં હાજરી આપી હતી , ત્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાતમાં બે ઘોડાવાળા નિવેદન પર કટાક્ષ કર્યો છે.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે , ભાજપ પાસે માત્ર હરિભાઈ જેવા રેસમાં દોડનારા જ ઘોડા છે. કોંગ્રેસ પાસે માત્ર નાચવાના જ ઘોડા છે, જો કોઈને પોતાના લગ્નમાં નાચવાવાળા ઘોડા જોઈતા હોય તો કોંગ્રેસનો સંપર્ક કરવો. આ પ્રકારનો કટાક્ષ કરી નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. 



રાહુલ ગાંધીએ કહ્યું હતું કે... 

નીતિન પટેલે રાહુલ ગાંધીના જે નિવેદન પર કટાક્ષ કર્યો છે તે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે આપ્યું હતું. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં સંગઠનના લોકો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આપણી કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક રેસનો ઘોડો અને બીજો લગનમાં નચાવવાનો ઘોડો. અને હવે કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને જ માત્ર રેસમાં ઉતારશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસમાં નવો જોમ, નવો ઉત્સાહ આવી ગયો હોય તેવું લાગે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે