ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને આ રાજકીય નેતાઓ સાથે હતો સંબંધ! જાણો તપાસ દરમિયાન કેટલી મિલકત હોવાનું સામે આવ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-13 13:23:12

નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાની સરકારી જમીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના કેસમાં અંતે તેમની ધરપકડ થોડા સમય પહેલા કરવામાં આવી હતી. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા IAS અધિકારી એસ.કે લાંગાની ગાંધીનગર પોલીસે માઉન્ટ આબુથી ધરપકડ કરી હતી. આ કેસમાં નવો વળાંક આવ્યો છે જે મુજબ લાંગાના રાજકીય સંપર્કો હોવાનું સામે આવ્યું છે. પાંચ દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ ગઈ છે.    



પોલીસે કરી હતી 14 દિવસના રિમાન્ડની માગ 

અનેક સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હોય છે. પોતાના કાર્યકાળ દરમિયાન ગેરરીતિ અપનાવી પોતાને ફાયદો કરી લેતા હોય છે. ત્યારે ભ્રષ્ટાચારના આરોપ સાથે ગાંધીનગરના પૂર્વ કલેક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. માઉન્ટ આબુમાં આવેલા કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા બી.કે. ગઢવીના ફાર્મ હાઉસમાં છૂપાયા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેમની ધરપકડ કરી લીધી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે અને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસે 14 દિવસની રિમાન્ડની માગણી કરી હતી પરંતુ પાંચ દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે. 


એસ.કે.લાંગા વિરૂદ્ધ એકત્રિત કરાઈ રહ્યા છે પુરાવા 

આ મામલે તપાસ કરવા એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. આ મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ મીડિયા સમક્ષ જાણકારી આપી છે. જે મુજબ ફરિયાદ નોંધાયા બાદ અનેક ફાઈલોની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે અનેક ફાઈલોમાં ઘાલમેલ થયા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે નિવૃત્ત થયા બાદ પણ તેમણે અનેક દસ્તાવેજો પર સાઈન કરી છે. બિન ખેડૂતને પણ ખેડૂત તરીકે દર્શાવવામાં આવ્યા છે. સરકારને આર્થિક નુકસાન પહોંચે તેવી રીતે ગેરરીતિ અપવાની છે. ઉલ્લેખનિય છે કે એસ.કે.લાંગાની ધરપકડ કરવા પોલીસ વીજ કંપનીના કર્મીઓ બન્યા હતા. 


એસ.કે.લાંગા પાસે છે આટલી મિલકત 

એસ.કે.લાંગા પાસેથી મળેલી મિલકતની વાત કરીએ તો જૂનાગઢમાં ચાર બંગલો, માતરમાં જમીન, અમદાવાદમાં ફ્લેટ, બંગલો તેમજ જમીન છે. તે ઉપરાંત અમીરાત બિલ્ડડોન કંપનીમાં પાર્ટનરશીપ છે. મહત્વું છે કે લાંગાના પરિવારના સભ્યોનું તેમજ પાર્ટનરોનું નિવેદન લેવામાં આવ્યું હતું. લાંગા વિરૂદ્ધ પુરાવા મળતા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે .    



એસ.કે. લાંગા સામે આરોપ શું છે?

લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના ગાંધીનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીન પાંજરાપોળ માટે હતી તેમ છતાં આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેમજ તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી હતી. તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર આચર્યો હતો. 



ભ્રષ્ટાચારનો કાળો ઈતિહાસ

IAS અધિકારી એસ.કે. લાંગા તેમની લાંબી કારકિર્દી દરમિયાન 6 જિલ્લામાં RAC,DDO અને કલેક્ટરનો હોદ્દો ભોગવી ચૂક્યાં છે. પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને તેમણે ગાંધીનગર અને અગાઉ જ્યાં જ્યાં પણ તેઓના પોસ્ટિંગ રહ્યા ત્યાં તેઓએ અનેક ભ્રષ્ટાચાર આચર્યા હતા. ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!