ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ નથુરામ ગોડસેને લઈ આપ્યું નિવેદન! ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી વિશે કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-08 12:39:27

કેન્દ્ર સરકાર પર અનેક વખત પ્રહાર કરતા રાહુલ ગાંધી દેખાતા હોય છે. એ ભલે ભારત હોય કે પછી વિદેશની ધરતી હોય. પ્રહાર કરવાનો એક મોકો રાહુલ ગાંધી છોડતા નથી. ત્યારે અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. ત્યારે રાહુલ ગાંધી વિશે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ અનેક વાતો કહી છે. પોતાના નિવેદનમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા અલગ વિષય છે, અને જ્યાં સુધી તેમણે ગોડસેને સમજ્યા છે અને વાંચ્યા, તે દેશભક્ત હતા. 


'નથુરામ ગોડસે દેશભક્ત હતા' -ઉત્તરાખંડના પૂર્વ સીએમ  

નથુરામ ગોડસે અને મહાત્મા ગાંધીને લઈ અનેક વખત નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને લઈ નિવેદન આપ્યું છે અને તેમને દેશભક્ત ગણાવ્યા છે. બલિયામાં પાર્ટીના જિલ્લા મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા એક અલગ મુદ્દો છે. જ્યાં સુધી મેં ગોડસે વિશે જાણ્યું અને વાંચ્યું છે તેના પરથી હું કહું છું કે તે પણ દેશભક્ત હતા. જોકે ગાંધીજીની જે હત્યા થઈ તેની સાથે અમે સહમત નથી. તે સિવાય રાહુલ ગાંધીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

રાહુલ ગાંધી વિશે કહી આ વાત!

રાહુલ ગાંધી વિશે વાત કરતા તેમણે કહ્યું કે માત્ર ગાંધી સરનેમ હોવાથી વિચારધારા પણ ગાંધીવાદી ન બની જાય. તેમણે કહ્યું કે 'જનેઉ'ને બહાર લટકાવવાથી તેમની ઓળખ નહીં બદલાય, તેઓ (રાહુલ ગાંધી) માત્ર વાતો કરે છે. રાવતે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ માત્ર ગાંધી સરનેમનો લાભ લઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી પોતાની પાર્ટીની ખરાબ હાલત જોઈને હતાશામાં બોલી રહ્યા છે. તે માનસિક તણાવમાં બોલી રહ્યા છે. જે વ્યક્તિ માનસિક તાણમાંથી પસાર થઈ રહી હોય તેને લોકો સ્વીકારશે નહીં."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.