કર્ણાટકના પૂર્વમુખ્યમંત્રી જોડાયા કોંગ્રેસમાં, થોડા દિવસો પહેલા જગદીશ શેટ્ટરે ભાજપને કહ્યું હતું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:16:21

2023માં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. કર્ણાટકમાં પણ ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા ભાજપને ફટકો પડ્યો છે.કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે થોડા દિવસો પહેલા ભાજપને અલવિદા કહી દીધું હતું ત્યારે આજે મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો હાથ થામી લીધો છે.


પૂર્વ મુખ્યમંત્રી થયા કોંગ્રેસના!

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા અનેક ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ટિકિટ ન મળવા પર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસમાં સામેલ થયા છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.


ટિકિટ ન મળતા છોડી હતી પાર્ટી!

કોંગ્રેસમાં જોડાયા બાદ જ ભાજપ વિરૂદ્ધ જગદીશ શેટ્ટરે કહ્યું હતું. તેમણે કહ્યું કે મેં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને આજે કોંગ્રેસમાં સામેલ થઈ ગયો છું. હું પૂરા મનથી કોંગ્રેસમાં સામેલ થયો છું. અનેક લોકો હેરાન છે કે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નેતાએ કોંગ્રેસની સદસ્યતા લીધી. પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાને કારણે મને લાગ્યું કે મને ટિકિટ મળશે. પરંતુ જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ નથી મળવાની તો હું હેરાન થઈ ગયો. આ મામલે મારી જોડે કોઈએ વાત ન કરી હતી. ના મને સમજાવવાની કોશિશ કરી.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.