જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઉમિયાધામ સીદસર


  • Published By :
  • Published Date : 2023-02-04 17:43:33

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને યાદ કરી મૃતકોના પરિવારજનોના આંસુ હજુ સુકાયા નથી. આ ઘટના બાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તે બધા વચ્ચે જયસુખ પટેલના સમર્થનમાં અનેક લોકો તેમજ ધાર્મિક સંસ્થાઓ આવી છે. ઉમિયાધામ સીદસર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓ જયસુખ પટેલનું સમર્થન કરી રહ્યા છે. તે સિવાય ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલીયા તેમના સમર્થનમાં આવ્યા છે.


ભાજપના પૂર્વ ધારાસભ્ય આવ્યા સમર્થનમાં 

મોરબીમાં દિવાળીના સમયે હોનારત સર્જાઈ હતી જેમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો હજી સૂધી આઘાતમાં છે. આ મામલે હાઈકોર્ટમાં સૂનાવણી કરવામાં આવી રહી છે. 10 જેટલા લોકો વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે. જયસુખ પટેલ વિરૂદ્ધ લોકોમાં રોષ છે તો બીજી તરફ તેમના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ જણાવ્યું છે કે હું પણ જયસુખ પટેલને સમર્થન આપું છું. સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા છે.      

 

સમર્થનમાં આવ્યું ઉમિયાધામ સિદસર             

ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત ઉમિયાધામ સિદસર તેમજ અનેક એનજીઓ જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું છે. ગઈકાલથી ઉમિયાધામ સંસ્થાનું લેટરપેડ ફરતું થયું છે. આ પત્રમાં જયસુખ પટેલના સમર્થનમાં હોવાની વાત કરવામાં આવી છે.પત્રમાં લખવામાં આવ્યું હતું કે આપણે સૌ જયસુખભાઈનું સમર્થન કરીએ. ઝૂલતા પુલની ટિકિટથી જયસુખભાઈ કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રુપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. 10-15 રુપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. તે સિવાય અનેક સમાજ પણ તેમના સર્મથનમાં આવ્યા છે.         




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!