બાયડના કોંગ્રેસના પૂર્વ MLA જશુભાઈ પટેલે રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-11-09 19:51:22

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર તેની ચરમસીમા પર છે. દેશના અન્ય પ્રાંતોના કોંગ્રેસના નેતાઓ પણ રાજસ્થાનમાં કોંગ્રેસનો પ્રચાર કરવા પહોંચ્યા છે. આ દરમિયાન બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. 


જશુભાઈ પટેલે શું કહ્યું?


બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે મીડીયા સાથેની ચર્ચામાં વિવિદાસ્પદ નિવેદન કરતા કહ્યું કે ‘ગુજરાતમાં રઘુ શર્માએ કોંગ્રેસને વેચી નાખી છે. કોંગ્રેસના નેતાઓ રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને મહેન્દ્રસિંહ વાઘેલા સાથે સોદો કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ રૂપિયા લઈને ગુજરાત કોંગ્રેસનો સોદો કરી નાખ્યો હોવાનું તેમણે ચોંકાવનારું નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું વિધાનભાની ચૂંટણી લડી રહેલા રઘુ શર્માને હરાવવા કોંગ્રેસના નેતાઓ  રાજસ્થાન જશે તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનાર રઘુ શર્માને રાજસ્થાનમાં હરાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. તેમને હરાવવા માટે જ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ રાજસ્થાનનો પ્રવાસ કરશે. ઉલ્લેખનિય છે કે ગત જુન માસમાં પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠા ત્યારે ચર્ચામાં આવ્યા હતા.


કોણ છે રઘુ શર્મા?


ઉલ્લેખનિય છે કે રાજસ્થાનના અજમેર જિલ્લાની કેકરી બેઠકના ધારાસભ્ય ડો. રઘુ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે, જેઓ હાલમાં ગુજરાત, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીમાં પાર્ટી બાબતોના AICC પ્રભારી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.