દેશના વિદેશી મુદ્રા ભંડોળમાં મોટો ઘટાડો, 329 કરોડ ડોલર ઘટીને 578.45 અબજ ડોલર પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-04-07 21:04:29

દેશની વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળમાં મોટો ઘટાડો નોંધાયો છે. 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન રિઝર્વ 329 મિલિયન ડોલર એટલે કે 32.9 કરોડ ડોલર ઘટીને 578.449 અબજ પર પહોંચ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા બે સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં સારો વધારો થયો હતો અને 24 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 5.977 બિલિયન ડોલર વધીને  578.778 બિલિયન ડોલર થયું હતું. નાણાકીય વર્ષ 2023માં કુલ વિદેશી વિનિમય અનામતમાં  24.23 બિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો.


શા માટે ઘટ્યું ફોરેક્સ રિઝર્વ?


દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો આવવાનું એક કારણ વૈશ્વિક ઘટનાક્રમો છે. આ કારણે દબાણ હેઠળ આવેલા રૂપિયાને મજબુત રાખવા માટે RBI દ્વારા વિદેશી અનામત ભંડોળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાકીય પૂરક અનુસાર, 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણની અસ્કયામતો 360 મિલિયન ડોલર ઘટીને 509.691 અબજ ડોલર થઈ ગઈ છે. રિઝર્વ બેંકે કહ્યું કે છેલ્લા સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 279 કરોડ ડોલરથી ઘટીને 45.20 અબજ ડોલર જેટલો રહી ગયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.