રાજ્યમાં માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ આ જગ્યાઓ પર વરસશે કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:26:09

હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. 27 એપ્રિલથી પહેલી મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતિત થયા છે. આકાશમાંથી વરસતા છાંટા ધરતીપુત્રને રડાવી રહ્યા છે.


આ જગ્યાઓ પર વરસવાનો છે કમોસમી વરસાદ!

27 એપ્રિલે બનાસકાંઠા, અરવલ્લી,સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી તેમજ કચ્છ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 28 એપ્રિલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,ભાવનગર, મોરબી, બોટાદ સહિત અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. 30 એપ્રિલે અરવલ્લી. મહિસાગર, રાજકોટ, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. 


ધરતીપુત્રોમાં વધી ચિંતા!  

ઉલ્લેખનિય છે કે ઘણા સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે ખેતરમાં થયેલો પાક બળી જાય છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.