આ કારણથી PM મોદીએ 3 CM સાથે માનગઢ હિલની મુલાકાત લીધી


  • Published By :
  • Published Date : 2022-11-01 21:33:13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એ માનગઢ વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં 1500 જેટલા આદિવાસી લોકો અંગ્રેજોની ગોળીએ વિંધાઈ ગયા હતા... 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આદિવાસીઓના આસ્થા કેન્દ્ર માનગઢ હિલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ 3 રાજ્યોના મુખ્યમંત્રીને એટલા માટે બોલાવ્યા હતા કારણ કે માનગઢ હિલ જે વિસ્તારમાં છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યની સરહદ છે. 


માનગઢ હિલ રાષ્ટ્રીય સ્મારક ના જાહેર કરાયું

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાષણ આપ્યું હતું. ચર્ચાઓ ચાલી રહી હતી કે માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર નહોતું કર્યું.


માનગઢ હિલ કેમ આદિવાસીઓ માટે ખાસ?

વર્ષ 1913માં ગોવિંદ ગુરુ નામના સમાજ સુધારકની આગેવાનીમાં હજારો આદિવાસીઓ માનગઢ હિલ ખાતે પહોંચ્યા હતા. અંગ્રેજોએ તમામને માનગઢ હિલ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો હતો પરંતુ ગોવિંદ ગુરુએ માનગઢ ખાતેની ધૂણી ખાલી કરવાની ના પાડી દીધી હતી. કાર્યવાહીના ભાગરૂપે અંગ્રેજોએ નિર્દોષ આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં 1500થી વધુ આદિવાસીઓનો નરસંહાર થયો હતો.  



રાજ્યમાં વારંવાર થતાં હિટ એન્ડ રનના કેસો ચિંતાનો વિષય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા અકસ્માત સર્જનાર નબીરાઓ સાધારણ માણસને માણસ સમજતા જ નથી. પૈસાના જોરે નશા ના રવાડે ચઢેલા નબીરાઓની લાપરવાહીમાં લોકો પોતના જીવ ગુમાવે છે. શું પોલીસ મુકપ્રક્ષક બની રહી છે?

હવે સરકારી દરેક શાળામાં વિધાર્થીઓ ધોરણ 8 ને બદલે 10 સુધી ભણી શકશે. આગામી સ્તરથી ઝોન 7 માં 7 માધ્યમિક શાળાઓમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે. AMCની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણના 1 લાખ ૭૦ હજાર વિદ્યાર્થીને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય લેવાયો..

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા . તેમને પાછા લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન જહાજ પહોંચી ચૂક્યું છે . આજે સવારે સાડા દસ વાગે તેમની ધરતી પર પરત ફરવાની યાત્રા શરુ થઇ ચુકી છે . ભારતીય સમય પ્રમાણે બુધવારના વહેલી સવારના સાડા ત્રણ વાગે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું ડ્રેગન અવકાશયાન ગલ્ફ ઓફ મેક્સિકોમાં લેન્ડ કરશે .

પાકિસ્તાનની જેલમાં કુલ ૧૨૩ ગુજરાતી માછીમારો કેદ છે . આ સ્ફોટક માહિતી ત્યારે બહાર આવી જયારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો . આ પછી રાજ્યસ્તરના વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી .