આ કારણથી PM મોદીએ 3 CM સાથે માનગઢ હિલની મુલાકાત લીધી


  • Published By :
  • Published Date : 2022-11-01 21:33:13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એ માનગઢ વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં 1500 જેટલા આદિવાસી લોકો અંગ્રેજોની ગોળીએ વિંધાઈ ગયા હતા... 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આદિવાસીઓના આસ્થા કેન્દ્ર માનગઢ હિલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ 3 રાજ્યોના મુખ્યમંત્રીને એટલા માટે બોલાવ્યા હતા કારણ કે માનગઢ હિલ જે વિસ્તારમાં છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યની સરહદ છે. 


માનગઢ હિલ રાષ્ટ્રીય સ્મારક ના જાહેર કરાયું

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાષણ આપ્યું હતું. ચર્ચાઓ ચાલી રહી હતી કે માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર નહોતું કર્યું.


માનગઢ હિલ કેમ આદિવાસીઓ માટે ખાસ?

વર્ષ 1913માં ગોવિંદ ગુરુ નામના સમાજ સુધારકની આગેવાનીમાં હજારો આદિવાસીઓ માનગઢ હિલ ખાતે પહોંચ્યા હતા. અંગ્રેજોએ તમામને માનગઢ હિલ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો હતો પરંતુ ગોવિંદ ગુરુએ માનગઢ ખાતેની ધૂણી ખાલી કરવાની ના પાડી દીધી હતી. કાર્યવાહીના ભાગરૂપે અંગ્રેજોએ નિર્દોષ આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં 1500થી વધુ આદિવાસીઓનો નરસંહાર થયો હતો.  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .