આ કારણથી હાર્દિક પટેલની જવાબદારીમાંથી બાદબાકી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:53:37

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ત્રણેય પક્ષો પોતાની રીતે સભાઓ ગુંજવી રહી છે, રેલીઓ કરી રહી છે ત્યારે ભાજપની આવતીકાલે ગૌરવ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા હાલ વિવાદનું કેન્દ્ર બની રહી છે. 


હાર્દિક પટેલનું નામ રાખીને ફરી હટાવી દેવાયું

આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની ગૌરવ યાત્રા શરૂ થવા જઈ રહી છે. મહેસાણાના બહુચરા વિસ્તારમાં  ગુજરાત ગૌરવ યાત્રાનું નૈતૃત્વ પહેલા નીતિન પટેલ અને હાર્દિક પટેલને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ નીતિન પટેલનું નામ નૈતૃત્વમાંથી હટાવી લેવામાં આવ્યું હતું. 


આ કારણથી હાર્દિકનું નામ હટાવી લેવાયું

હાર્દિક પટેલ પહેલેથી ઉગ્ર સ્વભાવના અને મન ફાવે તેમ નિવેદન આપતા નેતાઓમાંના એક છે. હાર્દિક પટેલ પર પાટીદાર આંદોલન સમયનો એક કેસ છે. આ કેસમાં તેમને જામીન મળ્યા છે. આ જામીન માટે શરત રાખવામાં આવી હતી કે હાર્દિક પટેલ બહુચરાજી વિસ્તારમાં નહીં આવી શકે. જો હાર્દિક પટેલ આ વિસ્તારની અંદર આવે તો શરત ભંગ થઈ કહેવાય. જો શરત ભંગ થાય તો તેમની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. આથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે.  


હાર્દિકનું નામ હટાવી અલગ નેતાઓને જવાબદારી

બહુચરાજી વિસ્તારની ગુજરાત ગૌરવ યાત્રાની જવાબદારી હાર્દિક પટેલને આપીને હટાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ફરી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનું નામ ઉમેરી દેવામાં આવ્યું હતું. કેન્દ્રમાંથી ગુજરાત ગૌરવ યાત્રાનું નૈતૃત્વ પરષોત્તમ રૂપાલા અને દાનવે દાદારાવ કરશે.  


બહુચરાજીથી માતાના મઢ સુધીની ગૌરવ યાત્રા

આવતીકાલથી 20 ઓક્ટોબર એટલે કે કુલ આઠ દિવસ સુધી ભાજપ ગૌરવ યાત્રા કરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે ગુજરત ગૌરવ યાત્રાનું દ્વારકા ખાતે પ્રસ્થાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ યાત્રામાં મહેસાણા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠા એમ ચાર જિલ્લાઓને આવરી લેવામાં આવશે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.