સતત ત્રીજા દિવસે રખડતા ઢોર અને ટ્રેન વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:29:20

રખડતા ઢોરને કારણે અનેક ટ્રેનોના અકસ્માત સર્જાઈ રહ્યા છે. રખડતા ઢોરને કારણે વંદે ભારત ટ્રેનના સળંગ બે દિવસ અકસ્માત સર્જાયા હતા. ત્યારે ફરી એક વખત રખડતા પશુને કારણે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનને અકસ્માત નડ્યો છે. આણંદથી નડિયાદ તરફ જતી ટ્રેનનો અકસ્માત થતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા. 

22954 Gujarat Superfast Express - Indian Railways !! - YouTube

વંદે ભારત ટ્રેન બાદ થયો ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત 

થોડા સમય પહેલા જ વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેન શરૂ થયાના થોડા દિવસો બાદ જ વંદે ભારતનો એક્સિડન્ટ ભેંસ અને ગાય સાથે થયો છે. ઝડપ સાથે આવી રહેલી ટ્રેનનો અકસ્માત રખડતા ઢોરને કારણે ટ્રેનને નુકસાન થયું છે. ત્યારે આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે.  આણંદથી નડિયાદ તરફ જતી વખતે ટ્રેનનો અકસ્માત થયો છે. બે દિવસ સળંગ અકસ્માત થતા લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ત્રીજા દિવસે પણ રખડતા ઢોરને કારણે ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો.


ટ્રેન માટે પણ આફત બન્યા રખડતા પશુઓ

ત્યારે સળંગ ત્રીજા દિવસે ગાયનો ટ્રેન સાથે અકસ્માત થતા રેલવેની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે. આજે વંદે ભારત ટ્રેન નહીં પરંતુ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. હજી સુધી રખડતા ઢોરને કારણે રસ્તા પર અનેક અકસ્માત સર્જાતા રહે છે અને લોકોના જીવ જતા રહે છે. વાહનચાલકો માટે તો રખડતા ઢોર મુશ્કેલી સમાન બની ગયા છે ત્યારે ટ્રેન માટે પણ રખડતા ઢોર આફત બની ગયા છે.      




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.