સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો પહોંચ્યો 6 હજારને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-08 12:18:19

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કેસના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ 6 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા ત્યારે આજે પણ કોરોના સંક્રમિતોનો આંકડો 6 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6155 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 31 હજારને પાર પહોંચી ગઈ છે.

 


6 હજારથી વધુ નોંધાયા કોરોના કેસ  

કોરોના સંક્રમિતોનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આંકડો 6 હજારને પાર નોંધાઈ રહ્યો છે. ગુરૂવારે કોરોના સંક્રમિતોનો આંકડો 6050 નોંધાયો હતો જ્યારે શુક્રવારે કોરોનાનો આંકડો 6155 નોંધાયો છે. કોરોનાને કારણે મોત થતાં હોવાનો આંકડો પણ ડરાવનારો છે. 11 જેટલા લોકોના મોત કોરોના સંક્રમિત હોવાને કારણે થયા છે. છેલ્લા 24 કલાકમાં 3253 લોકોએ કોરોનાને માત આપી છે. 

   

મનસુખ માંડવિયાએ કરી હતી બેઠક

ઓમિક્રોનને કારણે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટને કારણે વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ વેરિયન્ટને કારણે કોરોના બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે.વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે મનસુખ માંડિવાયાએ આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. મહત્વનું છે સમગ્ર દેશમાં કોરોનાને લઈ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે. આરોગ્ય મંત્રીએ બધાને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉપરાંત ટેસ્ટિંગ વધારવાની માગ કરી છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.