ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત કરાઈ રંગોત્સવની ઉજવણી, લોકનૃત્યની જોવા મળી ઝાંંખી


  • Published By :
  • Published Date : 2023-03-07 13:52:34

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો હોળીના રંગે રંગાયા છે. વિધાનસભા પરિસરમાં લોકનૃત્યની ઝાંખી જોવા મળી હતી. વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્યોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. હોળીની ઉજવણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કેતન ઈનામદાર, હાર્દિક પટેલ સહિત અનેક ધારાસભ્યોએ ભાગ લીધો હતો.

  

હર્ષ સંઘવીએ ધામધૂમથી કરી ધૂળેટીની ઉજવણી           

વિધાનસભામાં ધૂળેટીની ઉજવણી કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 100 કિલો જેટલો કેસુડો મંગાવવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની પરવાનગી બાદ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વની ઉજવણીમાં હર્ષ સંઘવીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ખભે ચઢી પિચકારી મારી રહ્યા હતા. તે ઉપરાંત જીતુ વાઘાણી લાઠી નૃત્ય કરી રહેલા કલાકારો સાથે નૃત્ય કરતા દેખાયા.    


હાર્દિક પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન 

ધૂળેટીની ઉજવણી દરમિયાન ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે આ રંગોત્સવમાં ભાગ ન લઈને હોળી સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસુડાનો રંગ કેસરિયો હોવાથી કોંગ્રેસે ધૂળેટીની ઉજવણીમાં ભાગ નથી લીધો.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.