પોતાના પર્સનલ સેક્રેટરી માટે વજુભાઈ વાળાએ માગી ટિકિટ, રજૂઆત સાંભળી નેતાઓ ચોંકી ગયા


  • Published By :
  • Published Date : 2022-11-08 09:31:57

ભાજપે હજી સુધી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. પાર્ટીના વરિષ્ટ નેતાઓ પોતાના માણસોને ટિકિટ મળે તે માટે ભલામણ પણ કરતા હોય છે. ત્યારે પાર્ટીના વરિષ્ટ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પાર્ટી સમક્ષ એવી માગ રાખી જેને જોઈ તમામ નેતા સ્તબ્ધ થઈ ગયા. વજુભાઈએ પોતાના સેક્રેટરી માટે ટિકિટની માગ કરી છે.

નીતિન પટેલના હિંદુત્વ વાળા નિવેદન પર વજુભાઈ વાળા સમર્થન કરતાં ખચકાયા? વાંચો  શું કહ્યું | Hesitant to support Vajubhai on Nitin Patel's Hindutva  statement? Read what said

પોતાના સેક્રેટરી માટે માગી ટિકિટ

ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર છે. કોને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. ત્યારે ભાજપના વરિષ્ટ નેતા વજુભાઈ વાળાએ પોતાના પર્સનલ સેક્રેટરીના નામની રજૂઆત કરી છે. રાજકોટની ટિકિટ માટે તેજસ ભટ્ટીના નામની ભલામણ કરવા તેઓ પહોંચ્યા હતા. તેમની રજૂઆતને જોઈ પાર્ટીના અનેક નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. 

ટિકિટ ફાળવણી દરમિયાન નેતાઓ થઈ શકે છે નારાજ

વજુભાઈ વાળાએ પોતાની વાત કમલમમાં તો વ્યક્ત કરી પરંતુ તેઓ આ વાતની રજુઆત કરવા સી.આર.પાટીલના ઘરે પણ પહોંચ્યા હતા. નેતાઓ દ્વારા કરવામાં આવતી આવી માગને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે. કારણ કે આ સમયે કોઈ પણ નેતાને નારાજ ન કરી શકાય ઉપરાંત દરેક લોકોને ટિકિટ પણ આપી ન શકાય. ત્યારે પાર્ટી કયા ઉમેદવારને ટિકિટ આપે છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે.        




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!