પોતાના પર્સનલ સેક્રેટરી માટે વજુભાઈ વાળાએ માગી ટિકિટ, રજૂઆત સાંભળી નેતાઓ ચોંકી ગયા


  • Published By :
  • Published Date : 2022-11-08 09:31:57

ભાજપે હજી સુધી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. પાર્ટીના વરિષ્ટ નેતાઓ પોતાના માણસોને ટિકિટ મળે તે માટે ભલામણ પણ કરતા હોય છે. ત્યારે પાર્ટીના વરિષ્ટ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પાર્ટી સમક્ષ એવી માગ રાખી જેને જોઈ તમામ નેતા સ્તબ્ધ થઈ ગયા. વજુભાઈએ પોતાના સેક્રેટરી માટે ટિકિટની માગ કરી છે.

નીતિન પટેલના હિંદુત્વ વાળા નિવેદન પર વજુભાઈ વાળા સમર્થન કરતાં ખચકાયા? વાંચો  શું કહ્યું | Hesitant to support Vajubhai on Nitin Patel's Hindutva  statement? Read what said

પોતાના સેક્રેટરી માટે માગી ટિકિટ

ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર છે. કોને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. ત્યારે ભાજપના વરિષ્ટ નેતા વજુભાઈ વાળાએ પોતાના પર્સનલ સેક્રેટરીના નામની રજૂઆત કરી છે. રાજકોટની ટિકિટ માટે તેજસ ભટ્ટીના નામની ભલામણ કરવા તેઓ પહોંચ્યા હતા. તેમની રજૂઆતને જોઈ પાર્ટીના અનેક નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. 

ટિકિટ ફાળવણી દરમિયાન નેતાઓ થઈ શકે છે નારાજ

વજુભાઈ વાળાએ પોતાની વાત કમલમમાં તો વ્યક્ત કરી પરંતુ તેઓ આ વાતની રજુઆત કરવા સી.આર.પાટીલના ઘરે પણ પહોંચ્યા હતા. નેતાઓ દ્વારા કરવામાં આવતી આવી માગને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે. કારણ કે આ સમયે કોઈ પણ નેતાને નારાજ ન કરી શકાય ઉપરાંત દરેક લોકોને ટિકિટ પણ આપી ન શકાય. ત્યારે પાર્ટી કયા ઉમેદવારને ટિકિટ આપે છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.