ફૂટબોલના જાદુગર પેલેનું 82 વર્ષની વયે નિધન, આંતરડાના કેન્સર સામે ઝઝુમ્યા બાદ અંતિમ શ્વાસ લીધો


  • Published By :
  • Published Date : 2022-12-30 17:22:25

બ્રાઝિલના વિશ્વ વિખ્યાત ફુટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. આંતરડાના કેન્સર સામે લાંબી લડાઈ બાદ 82 વર્ષની વયે તેમણે સાઓ પાઉલોની હોસ્પિટલમાં પેલેએ અંતિમ શ્વાસ લીધો હતો. જગવિખ્યાત ખેલાડી પેલે 'ગેસોલિના', 'ધ બ્લેક પર્લ' અને 'ઓ રે',ધ ફુટબોલ કિંગ જેવા નામથી પણ ઓળખાતા હતા.પેલેનું આખુ નામ એન્ડરસન એરંટેસ ડો નાસિમેંટો હતું.


પેલેનું બાળપણ ગરીબીમાં વિત્યું


પેલેનો જન્મ 23 ઓક્ટોબર 1940ના દિવસે બ્રાઝિલના મિનાસ ગેરાઈસ શહેરમાં થયો હતો.ગરીબીના કારણે ફુટબોલ કિટ ખરીદવા માટે બુટ પોલીશ પણ કરી હતી. ગરીબી એટલી બધી હતી કે પેલે બાળપણમાં સાઓ પાઉલોના માર્ગો પર અખબારોની પસ્તીનો દડો બનાવી ફુટબોલ રમતા હતા.


પેલેની ફુટબોલ કારકિર્દી


પેલે 11 વર્ષની વયે સાંતોસ ક્લબમાં જોડાયા અને પછી બ્રાઝીલની રાષ્ટ્રીય ટીમ માટે ફુટબોલ મેચો રમી મહાન ખેલાડી બન્યા. પેલેએ બ્રાઝિલ માટે 114 મેચોમાં 95 ગોલ કર્યા હતા, પેલેએ તેમના ફૂટબોલ કેરિયર દરમિયાન  કુલ ચાર ફુટબોલ વિશ્વ કપ મેચ રમ્યા અને તેમાંથી ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. પેલેની રમતમાં બ્રાઝીલના જગવિખ્યાત સાંબા ડાન્સની ઝલક જોવા મળતી હતી. તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે યુરોપની તમામ ફૂટબોલ ક્લબો તેમને ખરીદવા પડાપડી કરવા લાગી હતી. અંતે બ્રાઝિલની સરકારે વચ્ચે દખલ કરી તેમને રાષ્ટ્રિય સંપત્તી (National Asset) જાહેર કરવામાં આવ્યા હતા. પેલેની પીળા રંગની 10 નંબરની જર્સી ફુટબોલ ચાહકોમાં આજે પણ લોકપ્રિય છે.


પેલે માટે નાઈજીરીયામાં યુધ્ધવિરામ


પેલેની ખ્યાતી એવી હતી કે તે લાગોસમાં પ્રદર્શન મેચ રમી શકે તે માટે 1967માં નાઈજીરિયામાં 48 કલાકમાં ગૃહયુધ્ધ વિરાની જાહેરાત કરાઈ હતી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે