અનાજ, કઠોળ, ખાદ્યતેલ, ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં ભડકો, તહેવારોની સીઝનમાં ડુંગળી લોકોને રડાવશે


  • Published By :
  • Published Date : 2023-06-30 15:57:09

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, અનાજ, કઠોળ, ખાદ્યતેલ,ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. ચોમાસાના કારણે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે. દેશમાં ડુંગળીની અછતના કારણે આગામી તહેવારોની સીઝનમાં ડુંગળીના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. દેશના મોટાભાગના શહેરોમાં ડુંગળીની કિંમત વધી શકે છે. કેટલાક વેપારીઓનું કહેવું છે કે ચોમાસાના કારણે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે, જેના કારણે આ વર્ષે ડિસેમ્બર સુધી ડુંગળીના પુરવઠામાં ઘટાડો થઈ શકે છે.


મહારાષ્ટ્રમાં પણ ડુંગળીના ભાવમાં થયો વધારો


દેશમાં ડુંગળીનું જ્યા મહત્તમ ઉત્પાદન થાય છે તે મહારાષ્ટ્રના પાંચ પ્રદેશોમાં ડુંગળીના છૂટક ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જો કે આ ભાવ ગયા વર્ષ કરતા ઓછા છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં વર્ષ 2020માં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 35.88 રૂપિયા હતી, 2021માં સરેરાશ છૂટક કિંમત 32.52 રૂપિયા હતી અને 2022માં તે 28.00 રૂપિયા પ્રતિ કિલો હતી. તે જ સમયે, વર્ષ 2023 માં ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે. જો કે આગામી મહિનાઓમાં તેની કિંમત વધી શકે છે.


કેન્દ્ર પાસે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક 


કેન્દ્ર સરકારે લગભગ બે મહિના પહેલા ખેડૂતો પાસેથી લગભગ 0.14 મિલિયન ટન ડુંગળીનો સ્ટોક ખરીદ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એપ્રિલમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 2023-24ની સિઝન માટે 3 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખશે. અને છેલ્લી સિઝન 2022-23 માટે 2.51 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખવામાં આવી હતી. બીજી તરફ, ભારત સરકારે આ મહિનાની શરૂઆતમાં રિપોર્ટ આપ્યો હતો કે 2021-22માં ડુંગળીનું ઉત્પાદન 31.69 મિલિયન ટનથી ઘટીને 31.01 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.


ટામેટાના ભાવ 100ને પાર


દેશભરમાં પહેલા ઉંચી ગરમી અને પછી અવિરત વરસાદને કારણે ટામેટાના ભાવને અસર થઈ છે. વરસાદ અને અતિશય ગરમીને કારણે પાક નિષ્ફળ જવાને કારણે ભારતમાં પુરવઠાની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં ટામેટાંના ભાવ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોથી 80 થી 100 રૂપિયા સુધી વધી ગયા છે. એટલે કે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. હવામાનના કારણે જથ્થાબંધ અને છૂટક બજારમાં ટામેટાં ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.