ઉંઝામાં નકલી જીરું બનાવાતી ફેક્ટરી પર ફૂડ વિભાગની રેડ, 24 હજાર કિલોનો જથ્થો જપ્ત, પશુઆહાર હોવાનો વેપારીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-12-11 21:33:14

રાજ્યમાં નકલીની મોસમ પૂરબહારમાં ખીલી છે, નકલી ટોલ પ્લાઝા, નકલી સરકારી કચેરી, નકલી પીએ બાદ હવે નકલી જીરાની ફેક્ટરી ઝડપાઇ છે. મહેસાણા ફૂડ વિભાગે ઉંઝાના ગંગાપુરા રોડ પર એક ફેક્ટરીમાંથી નકલી જીરુનો 24 હજાર કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે સફળ રેડ કરી શંકાસ્પદ જીરાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીમાંથી રૂ. 89 લાખની કિંમતનો 24 હજાર કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં હલકી ગુણવત્તાની વરિયાળીમાંથી જીરુ બનાવવામાં આવતું હતું. નકલી જીરૂ બનાવવા માટે વરિયાળી, ભુસુ, ગોળની રસી અને પથ્થરનો ઉપયોગ થતો હતો. 


બાતમીના આધારે રેડ


ઉંઝામાં નકલી જીરું બનાવાતી ફેક્ટરી અંગે વિગતો આપતાં ફૂડ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્સ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો 643 લીટર જથ્થો, “મિક્ષ પાઉડર” નો 258 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. 89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ મામલે ફુડ વિભાગ દ્વારા ગહન તપાસ ચાલી રહી છે.


ફેકટરીના માલિકનો ફૂડ વિભાગ પર આક્ષેપ


જો કે ફેક્ટરી માલિક ફૂડ વિભાગની રેડ જાણે મજાક હોય તેમ આરોપોને ફગાવી દેતા દાવો કર્યો કે આ પશુઆહાર છે. મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકનો દાવો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અધિકારીઓએ ચા -પાણીના પૈસા માંગ્યા હતા પણ આ ભાગ બટાઈમાં કયા વાંધો પડ્યો એટલે તેમણે અમારી ફેક્ટરીમાં રેડ કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.