ઉર્ફી જાવેદની ફરિયાદને પગલે મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર


  • Published By :
  • Published Date : 2023-01-17 17:15:56

પોતાની અતરંગી ફેશનને લઈ ઉર્ફી જાવેદ હમેંશા ચર્ચામાં રહે છે. પોતાની ફેશનસ્ટાઈલને લઈ સોશિયલ મીડિયા પર તેઓ સુર્ખિયોમાં રહેતી હોય છે. અને ઘણી વખત ટ્રોલ પણ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા બીજેપી નેતા ચીત્રા વાઘએ ઉર્ફી જાવેદ પર અંગ પ્રદર્શન કરવાને લઈને ફરિયાદ દાખલ કરાવી હતી. આ વાતને લઈને ઉર્ફી જાવેદે બીજેપી નેતા પર પલટવાર કર્યો છે અને ચીત્રા વાઘના વિરોધમાં મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરાવી છે.


ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ વિરૂદ્ધ કરી હતી ફરિયાદ 

ઉર્ફી જાવેદ પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા વિવાદોમાં અથવા તો ચર્ચામાં રહેતા હોય છે. અનેક વખત પોતાના અજીબો-ગરીબ કપડાંને લઈ ટ્રોલ પણ થતી હોય છે. સોશિયલ મીડિયા પર તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા ચીત્રા વાઘાએ પોલીસ સ્ટેશનમાં ઉર્ફીને લઈને ફરિયાદ કરી હતી. મુંબઈના રસ્તાઓ પર અંગ પ્રદર્શનને લઈને ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ સામે ફરીયાદ કરી હતી.     


મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર

આ મામલાને લઈને ઉર્ફી જાવેદે ભાજપના નેતા પર વળતો આરોપ મુક્યો છે. ઉર્ફીએ ચીત્રા વાઘા પર સામાજીક રીતે મારવાની ધમકી આપી હતી. જે બાદ ઉર્ફીની આ ફરિયાદને લઈ મહારાષ્ટ્ર મહિલા આયોગ એક્શનમાં આવી છે. મહિલા આયોગે મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે. ઉર્ફી જાવેદની સુરક્ષાને લઈ પૂરતા બંદોબસ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે