ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળ્યું ધુમ્મસભર્યુ વાતાવરણ, વિઝિબિલિટી ઘટતા વધી વાહનચાલકોની મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2023-01-30 10:31:31

ગુજરાતમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ઠેરઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડી વધવાને કારણે વીઝિબિલીટીમાં ઘટાડો થયો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  



ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વધી વાહનચાલકોની મુશ્કેલી 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી. વાતાવરણ વાદળછાયું અને ધુમ્મસભર્યું થઈ ગયું છે. જેને કારણે વિઝિબ્લીટી એકદમ લો થઈ ગઈ છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને ધીમી સ્પીડમાં વાહન ચલાવાની ફરજ પડી છે. ધુમ્મસને કારણે રાજ્યમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. તે સિવાય વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 


બપોર સુધી રહી શકે છે વાદળછાયું વાતાવરણ  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બપોર સુધી આવું ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. જે બાદ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતા વાદળો વિખરાઈ જશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે 50 ફૂટ દૂર પણ જોઈ શકાતું ન હતું. જેને કારણે વાહનોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.