અમદાવાદમાં ફલૂ, ઝાડા, ઉલટી અને ડેન્ગ્યૂના કેસ વધ્યા, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 11:28:09

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવવાના કારણે તથા સ્વચ્છતાના અભાવે રોગચાળાનો રાફડો ફાટ્યો છે. શહેરમાં સિઝનલ ફલૂ, ઝાડા-ઉલટી અને ડેન્ગ્યૂના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. શહેરમાં ત્રણ દર્દીઓના મોત પણ સ્વાઈન ફ્લૂના કારણે થયા છે.તે ઉપરાંત વાઈરલ ફીવર, શરદી અને ખાંસી સહિતના દર્દીઓ સંખ્યામાં પણ નોંધપાત્ર વધ્યા છે.


રોગચાળાનો રાફડો ફાટ્યો


ઓગસ્ટ મહિનામાં સિઝનલ ફલૂના 709, ઝાડા ઉલટીના 816 અને ડેન્ગ્યૂના 221 સાથે કોલેરાના 12 કેસ નોંધાયા છે. શહેરમાં ઓગસ્ટ મહિના અંત સુધીમાં મચ્છરજન્ય મેલેરિયાના 200 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 169 કેસ નોંધાયા હતા. શહેરમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોચચાળાના 67,632 લોહીના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ડેન્ગ્યૂ માટે 3184 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાણીજન્ય રોગના કેસમાં ઝાડા ઉલટીના 816 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં કમળાના 192, ટાઈફોઈડના 349 કેસ નોંધાયા હતા. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.