અમદાવાદમાં ફલૂ, ઝાડા, ઉલટી અને ડેન્ગ્યૂના કેસ વધ્યા, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 11:28:09

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવવાના કારણે તથા સ્વચ્છતાના અભાવે રોગચાળાનો રાફડો ફાટ્યો છે. શહેરમાં સિઝનલ ફલૂ, ઝાડા-ઉલટી અને ડેન્ગ્યૂના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. શહેરમાં ત્રણ દર્દીઓના મોત પણ સ્વાઈન ફ્લૂના કારણે થયા છે.તે ઉપરાંત વાઈરલ ફીવર, શરદી અને ખાંસી સહિતના દર્દીઓ સંખ્યામાં પણ નોંધપાત્ર વધ્યા છે.


રોગચાળાનો રાફડો ફાટ્યો


ઓગસ્ટ મહિનામાં સિઝનલ ફલૂના 709, ઝાડા ઉલટીના 816 અને ડેન્ગ્યૂના 221 સાથે કોલેરાના 12 કેસ નોંધાયા છે. શહેરમાં ઓગસ્ટ મહિના અંત સુધીમાં મચ્છરજન્ય મેલેરિયાના 200 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 169 કેસ નોંધાયા હતા. શહેરમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોચચાળાના 67,632 લોહીના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ડેન્ગ્યૂ માટે 3184 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાણીજન્ય રોગના કેસમાં ઝાડા ઉલટીના 816 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં કમળાના 192, ટાઈફોઈડના 349 કેસ નોંધાયા હતા. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.