રાજ્યના અનેક વિસ્તારો માટે કરાઈ છે માવઠાની આગાહી! માણાવદર સહિત અનેક જગ્યાઓથી સામે આવ્યા પૂર જેવા દ્રશ્યો! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-03 08:58:58

રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે જૂનાગઢમાં જાણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અણધાર્યા વરસાદને કારણે નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વાહનો પણ તણાઈ ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર એક રિક્ષા પણ આ પૂરમાં તણાઈ ગઈ જેમાં 10થી વધારે લોકો સવાર હતા. અનેક લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે અનેક લોકો હજી પણ લાપતા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે તાપમાનમાં તો ઘટાડો થઈ રહ્યો છે પરંતુ જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.





માણાવદરમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!

અનેક વખત આપણે જોયું છે કે ચોમાસાની સિઝન દરમિયાન નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ આ વખતે તો ઉનાળામાં વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી જેને કારણે ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. માણાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અણધાર્યા વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વગર ચોમાસે ચોમાસાનો અનુભવ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નિચાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. 


આ જગ્યાઓમાં વરસી શકે છે કમોસમી વરસાદ! 

હવામાન વિભાગે માવઠાને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સાબરકાંઠા, પોરબંદરમાં પણ માવઠું આવવાની સંભાવના છે. આવતી કાલે ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં તેમજ ભાવનગર, અમરેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. પાંચમી મેના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં માવઠું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની સિઝન વગર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો બેહાલ થઈ ગયા છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.