સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અમિત શાહે તરતું મૂક્યું, લંચ અને ડિનર પાછળ કેટલો ખર્ચ થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-02 14:15:29

અમદાવાદીઓ સાબરમતી નદીની સહેલગાહની સાથે-સાથે  લંચ અને ડિનરની મજા પણ માણી શકશે. દેશના ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજ પાસેથી રિવર ક્રૂઝની શરૂઆત આજે કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ રિવર ક્રૂઝ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે અક્ષર ટ્રાવેલ્સ દ્વારા  શરૂ કરાયેલી આ ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરન્ટ 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.


લંચ અને ડિનર માટે કેટલો ખર્ચ થશે?


સાબરમતી નદીમાં શરૂ કરવામાં આવેલી અક્ષર રિવર ક્રૂઝ આગામી 10 જુલાઈથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રિવર ક્રૂઝમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000 ભાવ નક્કી કરાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જશે. લગભગ 1.5 કલાક સુધી ક્રુઝની મજા માણી શકાશે. તેમજ સામાજિક પ્રસંગોની પણ ઉજવણી માટે તેને બુક કરી શકાશે. 


 રેસ્ટોરન્ટ ક્રૂઝમાં મળશે આ સુવિધાઓ


અક્ષર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. રેસ્ટોરન્ટ ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી છે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટમાં જે રીતે ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિત વગેરે સુવિધાઓ હશે. રેસ્ટોરન્ટ ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવ્યાં છે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે તેવું બનાવવામાં આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.