નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બર્ડ હિટને કારણે લાગી આગ! એન્જિનમાં આગ લાગતા કરાયું ઈમરજન્સી લેન્ડિંગ!


  • Published By :
  • Published Date : 2023-04-25 08:59:23

નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટને અકસ્માત નડ્યો છે. સોમવારે વિમાને ઉડાન ભરી હતી પરંતુ થોડી જ વારમાં પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પ્લેન સાથે પક્ષી ભટકાવવાને કારણે વિમાનમાં આગ લાગી હતી અને જે બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનનું ચેકિંગ કરી ફ્લાઈટે ફરી દુબઈ જવા માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર્સની સાથે 159 જેટલા લોકો સવાર હતા,


પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત!

છેલ્લા ઘણા સમયથી વિમાનો ચર્ચામાં રહ્યા છે. ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે નેપાળના કાઠમંડુથી ઉડાન ભરેલી ફ્લાઈટનું આગ લાગવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ફ્લાઈ દુબઈ ફ્લાઈટ 576 સાથે પક્ષી ટકરાઈ ગયું હતું જેને કારણે પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. 159 જેટલા લોકો આ પ્લેનમાં મુસાફરી કરૂ રહ્યા હતા. 


પ્લેને દુબઈ જવા ફરી ભરી લીધી હતી ઉડાન!

આ ઘટનાને લઈ નેપાળના પર્યટન મંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે જે દુબઈના પ્લેનમાં કથિત રીતે આગ લાગી હતી તેને હવે દુબઈ મોકલી દેવામાં આવી છે. આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 જેટલા વિદેશી મુસાફરો સવાર હતા. મળતી માહિતી અનુસાર ફ્લાઈટના એન્જિનમાં સોમવાર રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જે બાદ ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્થિતિ સામાન્ય થતાં ફ્લાઈટે દુબઈ જવા માટે ફરી ઉડાન ભરી લીધી હતી.        



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.