કાર્યકાળને પાંચ વર્ષ બાકી હતા અને UPSCના ચેરમેન મનોજ સોનીએ આપી દીધું રાજીનામું! રાજીનામું આપ્યા પાછળ આ કારણ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2024-07-20 12:32:33

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે upscના અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા રાજીનામું આપતા અનેક સવાલો ઊભા થયા છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું છે. મળતી માહિતી મુજબ મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેમના રાજીનામનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે નહીં તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી. 2029માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. 

અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાની ચર્ચા

મનોજ સોનીનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો, જે પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. 2017માં મનોજ સોની UPSCના સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે 2023ના રોજ તેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. માનવામાં એવું આવે છે કે મનોજ સોની ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે. અને આ કારણે તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોવું જોઈએ..  


મનોજ સોનીને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે!

જોકે મનોજ સોનીના રાજીનામાનો મુદ્દો IAS પૂજા ખેડકર સાથે જોડાવામાં આવી રહ્યો છે પણ એવું નથી.. ડો.સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. 2005માં તેઓ દેશના સૌથી યુવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા. મનોજ સોની વડાપ્રધાન મોદીના નજીકના ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે મોદીએ સોનીને 2005માં વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમની નિમણૂંક સમયે સોનીની ઉંમર માત્ર 40 વર્ષની હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં જોડાતા પહેલા મનોજ સોની ત્રણ ટર્મ માટે ગુજરાતની બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.


રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂંક પર ઉઠાવ્યા હતા સવાલ 

થોડા સમય પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે સોનીની યુપીએસસી ચેરમેન તરીકે નિમણૂંકને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે સોનીને આરએસએસના નજીકના ગણાવ્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે મનોજ સોનીના અધ્યક્ષ બનવાનો અર્થ એ છે કે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે યુનિયન પ્રચારક સંઘ કમિશન બનશે. આ વાતની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે. તો હવે upscને નવા અધ્યક્ષ ક્યારે મળશે તે જોવાનું રહ્યું..  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.