કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકી થઈ ઝિકા વાયરસથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-13 10:54:32

દેશમાં કોરોના મહામારી ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહ્યું છે. ત્યારે હવે ઝિકા વાયરસ સરકારની ચિંતા વધારી શકે છે. કર્ણાટકમાં ઝિકા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષની બાળકી આ વાયરસની ઝપેટમાં આવી છે. ઝિકા વાયરસને લઈ ચિંતા ન કરવા સરકારે જણાવ્યું છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.


કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવી જાણકારી

કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. કોરોના સંક્રમણની સાથે-સાથે અલગ અલગ વેરિયન્ટે પણ દસ્તક આપી દીધી હતી. સરકાર દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઝિકા વાયરસની દેશમાં પગ વિસ્તારી રહ્યો છે. કર્ણાટકમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઝિકાથી સંક્રમિત થઈ છે.


અનેક રાજ્યોમાં નોંધાયા છે ઝિકાના કેસ  

કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાયપુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમામ પ્રકારના જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ 5 ડિસેમ્બરના રોજ ઝિકા વાયરસની પુષ્ટિ માટે 3 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ બાળકી પર ધ્યાન આપી રહ્યું છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કેરળ તેમજ ઉત્તર પ્રદેશમાં કેસ નોંધાયા છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.