અમેરિકાના કોલોરાડો શહેરમાં ગોળીબારી થતાં પાંચ લોકોના મોત, 18 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-20 20:24:11

અમેરિકાના કોલોરાડેના એક નાઈટ ક્લબમાં ગોળીબારી થઈ હતી. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ ગોળીબારીમાં 18 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કોલોરાડો પોલીસે ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી છે. આ વ્યક્તિને પકડીને પોલીસ પૂછપરછ કરી રહી છે. ગોળીબારી શનિવારે રાત્રે ક્લબમાં થઈ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

US: 5 killed, 18 injured in gay nightclub shooting in Colorado

કોલોરાડો પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ઝડપ્યો

કોલોરાડો પોલીસને અડધી રાત્રે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ ગોળીબારી વિશે પોલીસને જાણ કરી હતી. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ક્લબમાં કોઈ વ્યક્તિ ગોળીબારી કરી રહ્યું છે. કોલોરાડો પોલીસને ગોળીબારીની જાણ થતાંની સાથે જ ક્લબ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કોલોરાડો પોલીસ આ ગોળીબારી મામલે ક્લબ બહારના તમામ સીસીટીવી વગેરે ચેક કરી રહ્યું છે. પોલીસે નાઈટ ક્લબ બહારના સુરક્ષા કર્મીઓ સાથે પણ વાતચીત કરી છે.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.