દ્વારકા પોલીસના કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 21:40:10

લોકોનું કહેવું છે કે ગુજરાત આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અમુક ઘટનાઓ ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થાના લીરાં ઉડાડતી હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાળથર ગામમાં બે જૂથ વચ્ચે અંગત કારણોસર મારામારી થઈ હતી જેના પરિણામે ભાળથર ગામમાં ધોળા દિવસે બંદૂકની ગોળીઓ છૂટી હતી. 


પોલીસની કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં

ભાળથર ગામના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો. આ બંને જૂથ વચ્ચે ધોકા અને પાઈપ વડે એકબીજા સામે ઝઘડો થયો હતો. બંને જૂથે ધોકા અને પાઈપ સાથે એકબીજા પર હુમલા કર્યા હતા. આ ઝઘડામાં બે રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યું હતું. 


પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ભેગા કર્યા 

મારામારી અને ફાયરિંગની ઘટના ઘટ્યા બાદ દ્વારકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલ્યા હતા. ફાયરિંગની ઘટના થયા બાદ ખંભાળિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હવે કસૂરવાર સામે કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહેશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.