બિહારના બેતિયામાં મિરઝાપુરવાળી, ધાંય.. ધાંય.. ગોળીઓ છૂટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:23:24

બિહારના પશ્ચિમ પંચારણના બેતિયામાં ફાયરિંગની ઘટના ઘટી હતી જેમાં અપરાધીઓએ સાત લોકોને ગોળી મારી દીધી છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાત લોકોમાંથી અમુકની હાલત ગંભીર છે. 


મીરઝાપુર સિરીઝની જેમ ધાંય... ધાંય... ગોળીઓ છૂટી

બિહાર રાજ્યના અહીરૌલી ગામની આ ઘટના છે જેમાં 3 હથિયારબંધ અપરાધીઓએ ફાયરિંગ પર ફાયરિંગ કરીને સાત લોકોને ઘાયલ કરી દીધા હતા. અહરૌલીના રાજા બાબુ પટેલના ઘરમાં ઘુસીને આરોપીઓએ મીરઝાપુર સીરીઝની જેમ સાત લોકો પર ફાયરિંગ કર્યું હતું. 


અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું

આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ ભાગી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને પકડી લીધા હતા. લોકોએ આરોપીને પોલીસને સોંપ્યા હતા. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતની અંદર ત્રણ બંદૂકધારી શખ્સોએ 7 લોકોને ગોળીઓ મારી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.